________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
પ્રવચન નં. ૨૩ બનાવવું તેમ બનાવવું.)
“તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે.” સાધક એટલે સમ્યકદર્શન થયું નથી, તેની પહેલાં પણ સાધક જ કહેવાય. સમ્યકદર્શન માટે એ સાધક કહેવાય, અને સાધક થઇ ગયા પછી પણ આવા વિચારો આવે, જ્ઞાનીને પણ આવા વિચારો આવે. સાધક અવસ્થામાં તો તે સત્યાર્થ છે, કેમકે તે જ્ઞાનના જ વિષયરૂપ છે.
પ્રમાણ, નય અને નિક્ષેપ તે જ્ઞાનનાં જ પ્રકારો છે. વિશેષ એટલે પ્રકારો. તે આત્માના પ્રકારો નથી. આત્મા પ્રમાણરૂપ-નયરૂપ છે નહીં. “તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે” –વિપરીતતા આવી જાય છે. એ સાધન વિના અનુમાન જ્ઞાનમાં યથાર્થ ખ્યાલ નથી આવતો એમ!
હવે કહે છે – “અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે.” જુઓ! વ્યવહાર વધતો જાય છે તેમ નથી લખ્યું, વ્યવહારનો અભાવ થતો જાય છે. વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે – ત્રણ સ્ટેજ આવે છે. પહેલો વ્યવહારનો અભાવ થાય, બીજો થાય, ત્રીજો થાય. પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી; જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી આ પહેલો પ્રકાર છે. વસ્તુને યથાર્થ જાણે, પ્રત્યક્ષ અનુભવ કરે ત્યારે પહેલા વ્યવહારનો અભાવ થઈ જાય.
હવે સાધક થઇ ગયો, ચોથું ગુણસ્થાન આવી ગયું, શ્રદ્ધાન થયા પછી પ્રમાણ આદિની કાંઇ જરૂર નથી. શ્રદ્ધા માટે પ્રમાણ – નય નિક્ષેપની જરૂર નથી. સમ્યકદર્શન ટકવા માટે કે સમ્યક્રદર્શનની નિર્મળતા માટે તેની કોઇ જરૂરત નથી. કેમકે પ્રમાણ, નય, નિક્ષેપ સમ્યક્દર્શનનો વિષય જ નથી. શ્રદ્ધાનું શ્રદ્ધેય એકલો આત્મા છે. શ્રદ્ધાનું શ્રદ્ધય પ્રમાણ, નય, નિક્ષેપ નથી. હવે શ્રદ્ધા તો નિર્વિકલ્પ થઇ ગઇ માટે શ્રદ્ધા માટે (નયાદિ સાધનોની) કાંઇ જરૂર નથી.
પહેલાની જેમ હવે જ્ઞાન માટે – ચારિત્ર માટે હવે બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. રાગ-દ્વેષ મોહકર્મનો સર્વથા અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ બીજી અવસ્થા માટે આટલું છે.
ત્રીજી અવસ્થા કેવળજ્ઞાન થયા પછી તેને પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. કેમકે કેવળજ્ઞાન પ્રત્યક્ષ થઇ ગયું છે. પરોક્ષ હતું ત્યાં સુધી પ્રમાણ-નય અને નિક્ષેપોના વિચારો ચાલતા હતા. કેવળજ્ઞાનતો પ્રત્યક્ષ થઈ ગયું. આ શ્રુતજ્ઞાન પરોક્ષના ભેદ છે. પ્રમાણ, નય ને નિક્ષેપ તે કેવળજ્ઞાનના ભેદો નથી. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી.
ત્યાર પછી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ કાંઈ આલંબન નથી. અતને નથી તેમ સિદ્ધને પણ નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ થાય છે. અરિહંતમાં પણ અભાવ-કેવળજ્ઞાનમાં પ્રમાણ નય, નિક્ષેપોનો અભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com