________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨
પ્રવચન નં. ૨૨ નથી. પ્રાય:બમણો થાય. કહે દોષને તો જોવો જોઇએ ને! દોષને જોઇને, દોષને ટાળવા જોઇએ...પ્રભુ! તું દોષનું લક્ષ છોડી દે! એ ભલે છે..(પણ) તેને ટાળવાનો ઉપાય કંઈક જુદો છે. દોષ ટળે એનો ઉપાય દોષનાં લક્ષે દોષ નહીં ટળે, નિર્દોષ-પરમાત્માના લક્ષ...એ દોષ સહુજમાં ટળી જશે. એટલે કે-એ ઉત્પન્ન થશે જ નહીં. મિથ્યાત્વ ઉત્પન્ન નહીં થાય-અજ્ઞાન ઉત્પન્ન નહીં થાય-અનંતાનુબંધી કષાય, ઉત્પન્ન નહીં થાય, તને.
“એકાકાર જ અનુભવ કર્યો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો” , એ તો મિથ્યા એકાંત છે. પર્યાયને જ આત્મા માને છે, પર્યાય કંઈ આત્મા નથી. વિભાવ છે, સ્વભાવ નથી. એમાં પારિણામિકભાવનું લક્ષણ નથી. આહા! એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે. ઉપદેશ તો જ્ઞાતાનો છે (કે તું જ્ઞાતા જ છો !) કર્તા તો તું તને અનાદિથી માની રહ્યો છો, અગૃહિત-મિથ્યાત્વથી..અગૃહિત એટલે કે કોઈના ઉપદેશ વિના. અનાદિનો આત્મા (પોતાના) અજ્ઞાનભાવથી, જ્ઞાતા હોવા છતાં સમયે-સમયે જ્ઞાતા-દષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે સમયે-સમયે અને હું ક્રોધાદિનો કર્તા છું. એમ (માની) એ મિથ્યાષ્ટિ થઈ જાય છે..એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
કળશ - ૮ પછીની ટીકા હવે ટીકા, આના પછીની, કળશ પછીની ટીકા, કુંદકુંદભગવાનની ટીકા નહીં, ટીકાકાર (અમૃતચંદ્ર આચાર્ય ભગવાનને) જે કહેવું છે, નવ તત્ત્વોમાં એક આત્મા ઉપાદેય છે, એ નવા તત્ત્વો ઉપાદેય નથી. એક આત્માના જાણવાના ઉપાયો પ્રમાણ, નય ને નિક્ષેપ છે. જાણવાનો (ઉપાય) એટલે માનસિકજ્ઞાન દ્વારા..જેવો આત્મા છે, એવો નિર્ણય કરવાનું સાધન, પ્રમાણનયને નિક્ષેપ છે. પ્રમાણ-નય-નિક્ષેપથી આત્માનો અનુભવ થતો નથી. પણ આત્માનો એનાથી નિર્ણય થાય છે એટલે અન્યમતીનું એમાં ખંડન થઈ જાય છે, અન્યમતીઓ જેવો આત્મા કહે છે એવો આત્મા નથી. પરંતુ સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં પ્રમાણ, નય ને નિક્ષેપ દ્વારા આત્માનું જેવું સ્વરૂપ છે એવું અનુમાનજ્ઞાન દ્વારા-માનસિકજ્ઞાન દ્વારા, એને ખ્યાલ આવે છે કે હું આવો છું એમ એ પહેલાં ખ્યાલમાં લ્ય છે, એમાં આ વિકલ્પાત્મક પ્રમાણ ને વિકલ્પાત્મક નય ને વિકલ્પાત્મક નિક્ષેપ, કે જ્યારે આત્માનો અનુભવ કરે છે આત્મા ત્યારે જેને (આ ત્રણને) સાધન કહ્યું, એ સાધન રહેતું નથી. એનો અભાવ થાય છે, દષ્ટિમાં એ કાંઈ દેખાતા નથી...કહેશે. જેમ નવ તત્ત્વો દેખાતા નથી, અંતરદૃષ્ટિ વડે નવ તત્ત્વો દેખાતા નથી, એમ આ પ્રમાણ, નય, નિક્ષેપ છે એ આત્માને સમજવાના કાળ–અનુભવ પહેલાં-પહેલાં સમજવાનો કાળ હોય છે, એ કાળે એને સાધન કહેવાય, વ્યવહારે એને સાધન કહેવાય..પણ જ્યાં અંતરમાં દષ્ટિ કરે છે. ત્યાં પ્રમાણ-નય-નિક્ષેપ જતા રહે છે–દેખાતા નથી. આહાહા !
ટીકાઃ- હવે, જેમ નવ તત્ત્વોમાં” એમ કહ્યું નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો-નવને જાણવાં ભૂતાર્થ નહીં..નવ તત્ત્વોમાં પણ...પોતાનો શુદ્ધાત્મા-જ્ઞાનાનંદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com