SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨૦ નિર્મળ-પર્યાયનો ઉપચારથી કર્તા અને પર્યાયનો જ્ઞાતા ઉપચારથી આવશે પણ અનુપચાર વિના, ઉપચાર લાગૂ પડતો નથી. (એક વાર તો) અનુપચારમાં આવી જા કે (હું તો ) પર્યાયનો કર્તાય નથી ને પર્યાયનો જ્ઞાતાય નથી. પર્યાય મારું કર્મ નથી કેમ કે હું એને જાણતો નથી. પર્યાયને હું જાણું તો એ મારું કર્મ થઈ જાય. શાયકને જાણું છું તો જ્ઞાયક મારું કર્મ થાય છે હવે પર્યાય મારું કર્મ થતું નથી. ૨૨૦ ‘આત્મા જાણનાર છે' બસ! જાણનાર છે...તો કર્તા છે, જાણનારને કર્તા કહેવાયજાણનાર...ને, તો કર્તા અને એમાં જણાય શું? જો રાગ જણાય...તો અજ્ઞાન કર્મ થઈ ગયુંરાગ જણાય તો કર્તાનું કર્મ અજ્ઞાન-રાગ થઈ ગયું, એ તો સંસાર છે. એવી કર્તા કર્મની પ્રવૃત્તિ તો અનાદિથી જીવ કરે છે. રાગ, કર્મ થતું નથી... હવે નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે-અંદરમાં પ્રવેશ કરે છે ઉપયોગ ત્યારે કહે છે કે જાણનારો માટે કર્તા અને જણાયું શું? પોતે જ જણાયો! જાણનાર કર્તા ને જાણ્યો પોતે, એ કર્મ...એ પણ નથી...એમ પણ...નથી. એવું છે છતાં નથી...ઓલું તો છે જ નહીં હું કર્તાને રાગ મારું કર્મ, એ તો છે જ નહીં. એમ માને તો ઈ તો અજ્ઞાની થઈ ગયો-થઈ ચૂક્યો... આ તો...અંદરમાં...જાણનારો પોતે કર્તા અને જણાયો, જે જણાય તે કર્મ થાય... સામાન્ય સ્વભાવ જણાયો આહા! જ્ઞાયક જણાયો-એવું કર્તા ને જણાય છે તે કર્મ...એવું છે... પણ એવું નથી તેમાં અનુભવ થાય છે, એવું છે ત્યાં સુધી અનુભવ ન થાય...ઓલું છે ત્યાં સુધી તો દિલ્હી દૂર છે. એની તો વાત શું કરવી...ઈ તો અજ્ઞાન ઉત્પન્ન કર્યું એણે તો... ! પ્રવચન નં - ૨૦ તા. ૭-૯-૯૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એની તેર નંબરની ગાથા ચાલે છે, સમ્યગ્દર્શન કેમ થાય ? એ સમ્યગ્દર્શન શુદ્ધઆત્માને આશ્રયે જ થાય છે, એ તો અનાદિઅનંત નિયમ છે. (આ) નિયમમાં કોઈ ફેરફાર થતો નથી. પણ...હવે તેના બે પ્રકારથી સમજાવે છે. –એક તો આત્મામાં આ નવ તત્ત્વોનો...અભાવ છે. એવાં શુદ્ધ આત્માનું લક્ષ કરતાં-આશ્રય કરતાં-અવલંબન કરતાં, નિયમથી સમ્યક્દર્શન થાય છે. એ ( સમયસાર ) અગિયારમી ગાથામાં કહ્યું, હવે આંહીયાં પણ કહેવું તો એ જ છે. પણ ત્યાં (૧૧ મી ગાથામાં) નવ તત્ત્વથી ભિન્ન કહ્યું હતું...તો કોઈ એમ ન સમજે કે નવ તત્ત્વ જેવી કોઈ વસ્તુ જ જગતમાં નથી. અને નવ તત્ત્વ છે માટે એનો કર્તા આત્મા છે એમ પણ નથી. –બેય ગાથામાં તફાવત છે. અગિયારમી ગાથામાં એમ કહ્યું: કે વ્યવહાર સઘળો ય અભૂતાર્થ છે, એટલે આત્માના સ્વભાવમાં, પર્યાયો નથી. હોય તો કર્તા-અકર્તાનો પ્રશ્ન થાય, જ્યાં (પર્યાયો ) છે જ નહીં આત્મામાં...તો પછી એવાં દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરતાં એને અનુભવ થઈ જાય છે. Please inform us of any errors on [email protected]
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy