________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૩ થાય છે, બીજે સમયે પરિણામ પલટી જાય છે.
ન્યાય-જો આત્મા પુણ્યના પરિણામને કરે તો પુણ્યના જ પરિણામ થયા કરે. અને પાપના પરિણામનો જ કર્તા હોય તો પાપના જ પરિણામ થયા કરે-તો પછી પાપ પલટીને પુણ્ય આવે નહીં, પુણ્ય પલટીને પાપ થાય નહીં. આ તો લોજીકથી વાત છે.
તે મંદિરે બેઠો છે, ભાવથી ભગવાનની પૂજા કરે છે; પૂજા કરતાં...કરતાં દુકાને જાવું છે,...પેલાને કાગળ લખવો છે તેમ વિચાર આવી જાય. આ તો દષ્ટાંત. એમ આ સ્વાધ્યાય કરવાનો શુભભાવ છે-તે શુભ ભાવનો આત્મા કર્તા હોય તો શુભભાવ થયા જ કરે, અહીં બેઠાં-બેઠાં દુકાનનો (પાપનો) વિચાર આવે નહીં. ઘરમાં કોઈ બિમાર હોય તો તેના વિચાર આવી જાય છે-અહીંથી જઈને ડૉક્ટરને બોલાવવા જવાનું છે, સારવાર કરવાની છે.વગેરે પાપના પરિણામ છે.
થવા યોગ્ય પરિણામ થાય છે તેનો તું કરનાર નથી, હુઠી જા. તારી કર્તા બુદ્ધિ હઠાવી દઈશ તો પણ પરિણામ તો થયા જ કરશે. કર્તા બુદ્ધિ છૂટી જશે પણ પરિણામ પરિણામને કરવાનું નહીં છોડે થોડો ટાઈમ.
શું કહ્યું? ખ્યાલ આવે છે કાંઈ? પરિણામની કર્તા બુદ્ધિ છૂટી જાય છે પણ પુણ્ય-પાપના પરિણામ તો થયા કરે છે. જે સમયે અકર્તા દષ્ટિમાં આવ્યો તો દ્રવ્યદષ્ટિ થઈ અને અનુભવ થયો તે વખતે પુણ્યના પરિણામ બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થતાં નથી. સવિકલ્પ દશા વખતે પુણ્યપાપના પરિણામ ઉત્પન્ન થયા કરે છે અને આત્મા અકર્તા રહ્યા કરે છે. પુણ્ય-પાપના પરિણામનો અભાવ થયો તેનું નામ અકર્તા નથી. અભાવ થયો તો અકર્તા કહેવાય તેમ છે નહીં. પુણ્ય-પાપના પરિણામ યોગ્યતાનુસાર થોડો ટાઈમ થશે. લાંબો ટાઈમ તો હવે પુણ્યપાપના પરિણામ થવાના નથી. મતિશ્રુતના પરિણામ પણ થોડો ટાઈમ રહેવાના છે, પછી મતિશ્રુતનો અભાવ થઈને કેવળજ્ઞાન થવાનું છે તો પુણ્ય-પાપના પરિણામ તો ઝાઝો ટાઈમ ક્યાંથી રહે. સાતમું આવશે ત્યારે બુદ્ધિપૂર્વક ચાલ્યા જશે, શ્રેણી આવી ક્ષય થઈ જશે પછી પરમાત્મા થશે પરિણામનું અસ્તિત્વ છે માટે આત્મા કર્તા છે તેમ નથી.
આ હાથ-પગ હલે છે માટે આત્મા કર્તા થઈ જાય છે તેમ નથી. ભાષા નીકળે છે માટે તે શબ્દનો આત્મા કર્તા થાય છે એમ નથી. ભાષાની કર્તબુદ્ધિ છૂટી, હાથની કર્તાબુદ્ધિ છૂટી, અનુભવ થયો, પછી હાથ તો હુલ્યા કરે, ભાષા નીકળ્યા કરે, જમતી વખતે રોટલીના ટૂકડા થયા કરે છે તેમ જાણે છે-હું કરું છું તેમ જાણતો નથી.
પર પદાર્થની જ્ઞાતાબુદ્ધિ તેને છૂટી અને સાક્ષાત જ્ઞાતા થયો, હવે પ્રતિમાના દર્શન કરવાનો ભાવ તેને આવ્યો છું! તો ઈન્દ્રિયજ્ઞાનનો ક્ષય થયો નથી. અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય ત્યારે ઈન્દ્રિયજ્ઞાનનો ક્ષય થાય એમ છે નહીં. ક્ષય થતાં થોડો ટાઈમ લાગે છે. સ્વરૂપમાં લીન થતાં ચારિત્ર અને પછી યથાખ્યાત ચારિત્ર થતાં કષાય જાય અને કેવળજ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય છે. દ્રવ્યઈન્દ્રિય રહી જાય છે. દ્રવ્ય ઈન્દ્રિય મોજુદ હોવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com