________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
પ્રવચન નં. ૧૭ “આત્માની અનુભૂતિ-તેનું નામ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવા એટલે-પર્યાયને તું નિરપેક્ષ જાણ; મારાથી થાય છે તે શલ્ય કાઢી નાખ.
(૧) પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે.
(૨) અંદરમાં જતાં પરિણામી મારા જાણ્યા વિના જણાયા કરે છે.
બહારમાં પરિણામ જાણ્યા વિના જણાયા કરે છે. અંદરમાં જાય તો પરિણામી ઉપર લક્ષ નથી–શય ઉપર લક્ષ નથી. પરિણામી જ્ઞય છે, અપરિણામી ધ્યેય છે. ધ્યેયના લક્ષ પરિણામીનું જ્ઞાન પરિણામીના લક્ષ વગર હેજે થઈ જાય છે જેમ દર્પણમાં સ્વચ્છતા હોય તેમ જ્ઞાન દર્પણમાં છે.
ચાર-પાંચ દિવસ થયા આપણે “થવા યોગ્ય” ઉપરથી લેતાં હતાં. હવે આ પાઠ પ્રમાણે આવ્યું. “ત્યાં વિકારી થવા યોગ્ય”, આત્મા વિકાર કરે તો થાય છે, પુણ્ય-પાપના પરિણામ કરે છે આત્મા, તો થાય છે. જો પુણ્ય-પાપનું કર્તાપણું ઉડાડશો તો ચારગતિ સિદ્ધ નહીં થાય? અમારે ચારગતિ સિદ્ધ કરવી જ નથી–આત્મા પુણ્ય-પાપનો કર્તા નથી તો એ કહેવું છે. અજ્ઞાની કહે છે તેવું જ્ઞાનીનું વચન ન હોય. અજ્ઞાની માને છે કે પુણ્ય-પાપને આત્મા કરે છે. જ્ઞાની કહે છે-આત્મજ્ઞાનને પણ આત્મા કથંચિત કરે છે લે! સર્વથા આત્મજ્ઞાનને પણ ન કરે લે ! તેં આ નિરપેક્ષ તત્ત્વની વાત સાંભળી નથી. પ્રેમચંદજી!
(શ્રોતા-આપનું અફર ફરમાન છે કે અંદર જતાં પરિણામ જાણ્યા વિના જણાય જાય છે.) (ઉત્તર) પરિણામ પર લક્ષ નથી અને પરિણામી ઉપર પણ લક્ષ નથી; અને અપરિણામીનું લક્ષ છૂટતું નથી. નિર્વિકલ્પ ધ્યાન હોય કે સવિકલ્પ જ્ઞાન હોય. આ...હા...હા ! શાયકનું લક્ષ છૂટતું જ નથી.
ત્યાં વિકારી થવા યોગ્ય' આ પુણ્ય-પાપ, કષાયના પરિણામ છે ને તે થવા યોગ્ય થાય છે. કર્મના ઉદયથી પણ થતા નથી કેમકે કર્મનો ઉદય સર્વથા ભિન્ન છે. જ્યારે આ પરિણામ તો તેની પર્યાયમાં થાય છે તો પણ આત્મા તેનો કર્તા થતો નથી. કષાયની મંદતા તેને પુણ્ય તત્ત્વ કહેવાય. કષાયની તીવ્રતા તેને પાપ તત્ત્વ કહેવાય. બે પ્રકાર છે-એક ભાવ પુણ્ય અને એક દ્રવ્ય પુણ્ય. ભાવ પાપ અને દ્રવ્ય પાપ. એક બહિર્મુખ પર્યાયમાં-ક્ષણિક અશુદ્ધ ઉપાદાનમાં પુણ્ય-પાપ થાય અને તેમાં કરનાર એટલે નિમિત્તમાત્ર જડકર્મનો ઉદય છે. નિમિત્ત હોય તો અહીંયા નૈમિત્તિક થઈ જશે-ક્ષણિક ઉપાદાન રહેશે નહીં. ઝીણી વાત છે જરા.
કહ્યું? (જડકર્મને) નિમિત્ત સ્થાપીશ તો તો પર્યાય સાપેક્ષ થઈ ગઈ. અનંતકાળથી તેમ તો જોયું છે. કર્મના ઉદયની અપેક્ષા વિના પુણ્યને પાપના પરિણામ થવા યોગ્ય થાય છે તેનો હું કર્તા નથી અને તે કર્મથી પણ થતા નથી. કર્મથી થાય તો પરિણામ પરાધીન થઈ ગયા. અને આત્મા કરતો હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવી જાય. એક સમયમાં થવાયોગ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com