________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં. ૧૭ નવ તત્ત્વને જાણતાં કર્તબુદ્ધિ છૂટતી નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તેને નવ તત્ત્વ દેખાય છે. ક્ષણિક ઉપાદાનથી જોતાં નવ તત્ત્વ દેખાતાં નથી. અને પછી ક્ષણિક ઉપાદાન પણ દેખાતું નથી, પછી ત્રિકાળી ઉપાદાન દેખાય જાય છે.
જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી, શુદ્ધનયથી, નિશ્ચયનયથી એટલે પર્યાયને પર્યાયના સ્વભાવથી જ. એ પર્યાયને ત્રિકાળી દ્રવ્યથી પણ ન જ અને નિમિત્તથી પણ ન જે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. પર્યાયનો પણ વિભાવ સ્વભાવ છે. પર્યાયનો પણ વિશેષ સ્વભાવ છે.
પર્યાયને પણ પર્યાયના સ્વભાવથી જો. કોઈ વખતે રાગ થાય, વૈષ થાય, માન થાય, ક્રોધ થાય ભિન્ન-ભિન્ન ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ વખતે મિથ્યાત્વ થાય છે, કોઈ વખતે સમ્યકદર્શન થાય છે, કોઈ વખતે નિશ્ચય ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. પ્રગટ થાય છે તે પર્યાયના ધર્મથી પ્રગટ થાય છે હું તેનો કરનારો નથી. કર્તાની વાત આવે ત્યાં ઉપચાર સમજવું. “વ્યવહારનય વડે જેટલું નિરૂપણ આવ્યું હોય શાસ્ત્રમાં તેને અસત્યાર્થ અભૂતાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું અને નિશ્ચયનય વડ જેટલું કથન આગમમાં આવ્યું હોય તેને સત્યાર્થ-બૂતાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું.” આ બધા મંત્રો છે-સિદ્ધાંતો છે.
“કારણ કે તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો” આ નવ તત્ત્વો જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા તેનો નૈમિત્તિકનો કર્તા બની જાય છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. એ નિમિત્તનૈમિત્તિક સંબંધ થોડા ટાઈમ માટે છે. ક્ષણિક ઉપાદાનમાં આવતાં નૈમિત્તિક સંબંધ જાય છે, અને ત્રિકાળી ઉપાદાનમાં આવતાં અનુભવ થાય છે.
(૧) ક્ષણિક ઉપાદાન નિમિત્ત-નૈમિત્તિકનો નિષેધ કરે છે.
(૨) ત્રિકાળી ઉપાદાન જ્ઞાતા-શયનો નિષેધ કરે છે (પરશેયનો). ક્ષણિક ઉપાદાન મારા જ્ઞાનનું જ્ઞય નથી. ગાથા બહુ ઊંચી છે-માર્મિક છે. સમજાય એવું છે ન સમજાય એવું નથી.
આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. આપણા ગુરુદેવ સમજાવી ગયા. “તમે બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ.” ભગવાન કહેનારો તો એક પુરુષ મળ્યો. બાકી તો તમે પામર છો ને, અજ્ઞાની છો ને; મિથ્યાદષ્ટિ છો ને! વળી કોઈ કહે–આ ક્રિયા કરો ને, દાન કરીને, તપ કરોને; પણ આત્માનું જ્ઞાન કરો તેમ કહેનારો આ એક પુરુષ મળ્યો. તેણે કહ્યું-પ્રથમ આત્માને જાણ ! પહેલાંમાં પહેલું એને જાણવું-સીધું જાણવું? કહું–હા અંગૂઠા છાપ હોયને તોપણ !? ક–હા. તેમાં ભણતરની શું કિંમત છે. ભાવેન્દ્રિયના સહારે અનુભવ થતો નથી. કેમકે ભાવઈન્દ્રિય જડ-અચેતન છે. નિમિત્ત-નૈમિત્તિક વ્યવહારથી કહેવામાં આવે છે-અને તેની દૃષ્ટિથી મિથ્યાત્વ થાય છે.
“આ નવ તત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com