________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૯
સાપેક્ષની વાત કરવાવાળાના ઢગલા પડ્યા છે. કોઈની સાથે તકરાર ન થાય. તે કહે કે-કેમ તમારું ધ્યાન (સાપેક્ષ ઉપર) ખેંચાતું નથી ?! તો તે કહે-હું જરા બીજા વિચારમાં હતો. તેને કહું નહીં કે-તમે સાપેક્ષની વાત કરતા હતા ત્યારે હું નિરપેક્ષનો વિચાર કરતો હતો. તો ફરી તે કહે–અમે કહીએ છીએ તે ખોટું છે? આ શાસ્ત્રમાં સાપેક્ષની વાત આવે છે-કર્મના ઉદયથી રાગ થાય છે. આત્મા સ્વયં રાગને કરે છે. રાગને ન કરે તો કાંઈ નહીં પણ સમ્યક્દર્શન તો કરે ને ? ત્યારે આપણે મૌન થઈ જવું બીજું શું થાય.
આ શાસ્ત્ર તો અલૌકિક છે. તેરમી ગાથા ઘૂંટાય તો આમાં દિવ્યદૃષ્ટિ થાય. “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે.” આ તેરમી ગાથા બોલે છે. થવા યોગ્ય થાય છે ત્યાં પૂર્ણવિરામ નથી, ત્યાં અલ્પ વિરામ છે. જાણનારો જણાય છે ત્યાં પૂર્ણવિરામ છે. આમાં પૂર્વાધ અને ઉતરાર્ધ છે. થવા યોગ્ય થાય છે તેમ જાણે છે તે સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. સામાન્ય અપેક્ષાએ તો બધા જ્ઞાતા છે, પણ વિશેષ અપેક્ષાએ કો'ક જ્ઞાતા થઈ જાય છે. થવા યોગ્ય થાય છે તેમ જાણે તે જ્ઞાતા થઈ જાય છે. આ રહસ્યવાળી ગાથા છે.
વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જેને બતાવે તેને વ્યવહાર કહેવાય. સાપેક્ષથી કથન કરવું તેનું નામ વ્યવહાર છે. કથન પદ્ધતિ સાપેક્ષથી હોય છે. સાપેક્ષથી જોઈને હવે તેને જોવાનું બંધ કર. અનંતકાળથી આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેમ જોયું. આત્મા તેમાં નિમિત્ત નથી અને પર પણ તેમાં નિમિત્ત નથી. સત અતુક પર્યાય થવાકાળે થાય છે. નવેય તત્ત્વ થવા કાળે થાય છે મારાથી થતા નથી. અને પરથી પણ થતા નથી.
થવા યોગ્ય થાય છે તેમ જે જાણે છે તેની દષ્ટિ થવા યોગ્ય થાય છે તેના પર ન હોય. થવા યોગ્ય થાય છે એમ જ્યાં જાણવામાં આવ્યું ત્યાં સમ્યકદર્શન-જ્ઞાન-પ્રગટ થયું,
ત્યારે તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે–તો આત્માથી થયું તેવું સાપેક્ષનું કથન વ્યાજબી છે. નિરપેક્ષપૂર્વક સાપેક્ષ તેને વ્યવહાર કહેવામાં આવે છે.
સમ્યકદર્શન-જ્ઞાનની પર્યાય તો પોતાથી જ થઈ, પછી સાપેક્ષનું કથન કરવામાં આવે કે-પર્યાયે દ્રવ્યનું અવલંબન લીધું. દષ્ટિમાં નિરપેક્ષ છે પછી જ્ઞાનમાં સાપેક્ષપણું આવે છે. નિરપેક્ષ તે નિશ્ચય છે અને સાપેક્ષ તે વ્યવહાર છે. પ્રેમચંદજી, સવારે આવ્યા, તેમને કહ્યું તેરમી ગાથા ચાલે છે.
તેમને દષ્ટાંત આપ્યું કે દ્રવ્ય જેમ નિરપેક્ષ છે તેને પર્યાયથી રહિત એમ જાણે તેને દ્રવ્યદૃષ્ટિ થાય. એમ પર્યાયને નિરપેક્ષથી જો સાપેક્ષથી ન જો. પર્યાય-રાગ-વીતરાગભાવ સત્ અહેતુક છે. તે સહેતુક નથી. અરે ! રાગ પણ પારિણામિકભાવે છે-તેને કર્મના ઉદયથી અપેક્ષા નથી.
વર્ણીજી સંવત ૧૦ ની સાલમાં પધાર્યા ત્યારે ગુરુદેવની સાથે વાત નીકળી-કેઃ રાગ કર્મના ઉદયને કારણે થતો નથી, કર્મના ઉદય વિના થાય છે. તો તે-કહે પકડાઈ ગયા, નવાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com