________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮
પ્રવચન નં. ૧૨ જાણતું નથી. પછી સવિકલ્પદશામાં આવતાં-થવા યોગ્ય થાય છે એમ જ્ઞાન જાણે છે, હું એમ પણ જાણતો નથી.
જે જ્ઞાન મને જાણે છે તે જ્ઞાન પરિણામને જાણે છે; હું નહીં. હું તો પરિણામને જાણતો નથી. કેમકે મારામાં ક્રિયાનો અભાવ છે. આહાહા ! જેનામાં ક્રિયા થાય છે તે મને પણ જાણે છે અને પરને પણ જાણે છે. જાણે તો જાણો..હું તો જ્ઞાતા-દષ્ટા છું. હું ક્રિયા રૂપ નથી, હું તો નિષ્ક્રિય છું-પરમાત્મા છું.
આહા! એ સહજ જ્ઞાન મને જાણે છે અને પરને જાણે છે બસ. જ્યારે જ્ઞાનમાં હું જણાવ છું ત્યારે પરિણામ જણાતા નથી. એક વખત તો પરિણામને જાણવાનું સર્વથા બંધ થાય છે ત્યારે તો આત્માનું જ્ઞાન થાય છે, ત્યારે તો જ્ઞાન આત્માને જાણે છે. જ્યાં સુધી જ્ઞાન પરિણામને જાણે છે ત્યાં સુધી જ્ઞાન આત્માને ન જાણી શકે. પરને અને પરિણામને જાણવાનું બંધ થાય છે ત્યારે જ્ઞાન મને જાણે છે. છદ્મસ્થનો ઉપયોગ એક સાથે બેને ક્યાંથી જાણી શકે. છદ્મસ્થનો ઉપયોગ રાગનેય જાણે અને આત્માને જાણે તેમ ન બને. આ સમ્યકદર્શન થવા માટેની વાત છે. સાધક થયો પછી તેને રાગ સંબંધીનું જ્ઞાન થાય છે; અને કહેવું કે રાગને જાણે છે તે ઉપચાર છે.
યાકાર અવસ્થામાં શું છે? રાગને જાણે છે તે ઉપચાર છે. જાણે છે? જ્ઞાન જ્ઞાનને જાણે છે એમ કહેવું તે ભેદ છે....
જાણનાર જણાય છે તે વાત સંકોત્કીર્ણ છે. હર સમયે જાણનારો જણાય છે. સવિકલ્પદશામાં જ્ઞાન મને જાણતા પરને જાણે છે તે દશા સવિકલ્પ છે. બાકી જ્ઞાન મને જ જાણ્યા કરે છે. જેની રુચિ છે તેને જ જાણે છે.
આ સ્વભાવ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે એક સમય પૂરતો હતો તે છૂટી જાય છે. રાગની પર્યાયની સાથે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો તે પણ બે સમય પૂરતો ન હતો, એક સમય પૂરતો હતો તે છૂટે છે. જો ભગવાન આત્મા સાથે એક સમય પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય તો ખલાસ થઈ જાય. ઓહો! મારી સાથે એક સમય પૂરતો પણ નથી. અને જ્યાં સુધી આત્મભાન નથી ત્યાં સુધી સમયવર્તી પર્યાયની સાથે છે. જ્યાં આત્માનું ભાન થયું ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો ને જ્ઞાતા-શયના સંબંધમાં આવી ગયો. (અંદરમાં) જ્ઞાતા-જ્ઞયનો નિશ્ચય પ્રગટ થયો તો (બહારમાં) જ્ઞાતા શેયનો વ્યવહાર (પ્રગટ) થયો.
શું કહ્યું? રાગની પર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો, હવે દષ્ટિ અંદરમાં ગઈ, વીતરાગભાવ પ્રગટ થયો તો (નિશ્ચયથી) જ્ઞાતા શેયનો સંબંધ અહીંયા (અંદરમાં) થાય ત્યારે વીતરાગભાવ પ્રગટ થાય ને? જ્યાં અહીંયા (અંદરમાં) નિશ્ચયથી જ્ઞાતા શેયનું અભેદપણું થયું તો પરની સાથે પણ જ્ઞાતા શેય સંબંધ રહ્યો. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો. (શ્રોતા – એ રીતે અભાવ થાય છે.) હા, એ રીતે અભાવ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com