________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં. ૧૧ અવસ્થા, બાધક અવસ્થા, મોક્ષ અવસ્થા આદિ ચૌદ ગુણસ્થાન સિદ્ધ થાય. જીવનાં વિકારનો હેતુ અજીવ છે એટલે હું નહીં. હવે નિમિત્ત કારણ કોણ છે–અજીવ છે તેનું જ્ઞાન કરાવ્યું, એટલે હું નહીં બસ. હું તો આ બધાથી નિરાળોને નિરાળો જ્ઞાયક છું. ભૂતાર્થનયથી જોવામાં આવે તો એક જીવ જ પ્રકાશમાન છે. એ ફરી આવી ગયું.
હવે પરિણામની વાત કરે છે. પરિણામનો હેતુ કોણ છે? કહે-અજીવ છે. આ સમ્યક્દર્શન થયું તેનો હેતુ કોણ છે? અજીવ જ હેતુ છે–જીવ હેતુ નથી. આ તો લાયક જીવ જ સાંભળી શકે. જ્ઞાયકભાવ જીવ છે અને જીવન વિશેષ કાર્યો સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના એટલે કે નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ તેનો હેતુ અજીવ છે-હું નહીં. દષ્ટિ આખી ફરી જાય છે. કારણ કે પર્યાયદષ્ટિ છોડાવીને દ્રવ્યદષ્ટિ કરાવવી છે. શાસ્ત્રનો હેત આ જ છે.
આત્મા છે તો સમ્યક્દર્શન થાય છે તે વાત જ ખોટી છે. આત્માની હૈયાતિ છે માટે સમ્યક્દર્શન થાય છે તેમ છે નહીં. પરિણામનો હેતુ જીવ નથી પછી વાત જ ક્યાં છે? હું તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. હું ઉપાદાન કર્તા એ નહીં અને નિમિત્ત કર્તા એ કોઈનો નહીં.
- જો સમ્યકદર્શનનો નિમિત્તકર્તા આત્માને માનો તો મિથ્યાદર્શનનો નિમિત્ત કર્તા આત્મા જ્ઞાયકભાવ થઈ જાય-તો અજીવપણાને પામે. જીવના વિકારનો હેતુ અજીવ છે. અને જો જીવને વિકારનો હેતુ માને તો જીવ અજીવને પામે. જીવ કોઈ દિવસ વિકારનો હેતુ બનતો નથી માટે પાછો ફરી જા કે હું હેતુ કોઈનો બનતો નથી.
આહા ! પરિણામનો જ્ઞાતા છું, પણ નિમિત્ત કારણ નથી. હવે અજીવપણાને પામવાનો ડર લાગતો હોય તો પાછો ફરી જા પરિણામનો હેતુ હું નથી. સર્વજ્ઞ ભગવાને હેતુ બતાવ્યો છે. જો તેમણે હેતુ ન બતાવ્યો હોત તો તો તને હેતુપણાની ભ્રાંતિ થાત, પણ આમાં કહે છે કે-જીવના વિકારનો હેતુ અજીવ છે દાંડી પીટીને આમાં કહે છે-ધ્યાન દઈને સાંભળો !
તમે જીવના વિશેષ કાર્યને માનો છો? હા, પણ તેનો હેતુ અજીવ છે, હું નહીં-ત્યાં તો જ્ઞાતા થઈ ગયો. જ્ઞાયકમાં દષ્ટિ આવી ગઈ. હું એમાં હસ્તક્ષેપ કરતો જ નથી ને! બીજાના ઉપાદાનમાં હસ્તક્ષેપ કરવું તે મહાપુરુષનું કામ નથી. સિદ્ધ ભગવાનને અરિહંત શું કરે છે? જોયા કરે છે. ક્યાંય કોઈના કાર્યમાં હસ્તક્ષેપ કરવાનો તેમનો સ્વભાવ જ નથી.
જીવના વિકારનો હેતુ અજીવ છે.” આ નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે તેથી વ્યવહારનું વચન છે. જીવ જ્ઞાયકભાવે છે તેના વિકારનો હેતુ અજીવ છે એટલે કે-જીવના વિકારનો હેતુ જીવ નથી. એટલે હું હેતુ નથી તે કહેવું છે.
(નવ તત્ત્વને) જીવના પરિણામ કહો, પણ તેનું કારણ જીવને ન કહો. જીવ તેના કારણપણે કદી પરિણમતો નથી. જીવ પરિણમે છે, તે જીવના પરિણામ પણ છે, પરંતુ તેના કારણપણે જીવ કદી પરિણમતો નથી. કેમકે ઉપાદાન કારણ પરિણામ છે અને નિમિત્ત કારણ અજીવ છે હું નહીં. તેના કારણપણે પરિણમનાર બીજો છે-અજીવ છે. એક કાર્ય ના બે કારણ ન હોય. જીવના વિકારનો હેતુ અજીવ છે હું નહીં. આ બાહુબલી ભગવાનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com