________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૯ ક્ષણે ઉત્પત્તિ થાય તેને ભગવાન સ્વકાળ કહે છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, અકાળ અને સ્વભાવ. પરિણામનું નામ સ્વકાળ છે. એ થવા યોગ્ય થાય છે-તેના સ્વકાળે થાય છે. એનો કોઈ કરનાર નથી.
- હવે મોક્ષ છે તે વિભાવ છે. મોક્ષ પણ વિભાવ છે વિભાવમાં કોઈને કોઈ નિમિત્ત હોય. અગુસ્લઘુગુણની પર્યાય કે અસ્તિત્વગુણની પર્યાયમાં કોઈ નિમિત્ત નથી. કેમકે એ પર્યાય સ્વાભાવિક છે. ત્રિકાળ સ્વાભાવિક હોં!! અગુરુલઘુગુણની પર્યાયને કર્મનો સંબંધ થયો અને પછી કર્મનો સંબંધ છૂટયો તેવું લાગુ પડતું નથી. જ્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રના જે પરિણામ થાય છે તે વિભાવ છે તેથી તેને કર્મનો સદભાવ નિમિત્ત છે. અને ત્રણેય પર્યાય ક્ષાયિક થઈ જાય તો તેને કર્મનો અભાવ નિમિત્ત છે. માટે અહીં નિમિત્તનું જ્ઞાન કરાવે છે.
આહા...હા! નિમિત્તનું જ્ઞાન કરાવ્યું તેમાં આત્મા અકર્તા (અકારણ) હાથમાં આવી ગયો. નિમિત્તકર્તાના જ્ઞાનમાં આત્મા અકર્તા દ્રષ્ટિમાં આવી ગયો. જ્યાં સુધી તમે નિમિત્તકર્તાને જ્ઞાનમાં નહીં લ્યો ત્યાં સુધી પોતાને નિમિત્તકર્તા માનશો કે આત્મજ્ઞાન આત્માથી થાય છે. આત્મજ્ઞાન સ્વયં થાય છે આત્મા તેમાં નિમિત્ત નથી તેમ તેને નહીં લાગે.
આહાહા ! મોક્ષ થવા યોગ્ય થાય છે. ધર્મના પરિણામ થવા યોગ્ય થાય છે. સમ્યકદર્શન થવા યોગ્ય થાય છે. આહાહા! તેનો કરનાર આત્મા નથી. શ્રી ગુરુ દાતા નથી તો પર તો ક્યાંથી દાતા હોય? ૧૩ મી ગાથા એટલે અધ્યાત્મની પરાકાષ્ટા.
થવા યોગ્યમાં જ્ઞાતા થઈ ગયો. હું જાણનાર છું હું કરનાર નથી. વર્તમાન વર્તતા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. કરનાર એટલે કર્મનો અભાવ નિમિત્તકર્તા. મોક્ષ થતાં આઠેય કર્મનો અભાવ થઈ ગયો ને!? તેને કરનાર-હેતુ કહ્યો. તે બન્ને મોક્ષ છે.” એક ભાવમોક્ષ અને એક દ્રવ્ય મોક્ષ. એમાં પણ જૂનાં કર્મ આવ્યા. દ્રવ્યમોક્ષ જૂનાં કર્મનો થાય કે નવાંનો?! નિર્જરા જૂનાની થાય કે નવાંની? મોક્ષ થયો એટલે જૂનાં કર્મ બધા ખરી ગયા. મોક્ષમાં નિમિત્ત કોણ હોય ? જૂનાંકર્મ હોય કે નવાકર્મ? જુના કર્મ હોય નવાં કર્મ ન હોય.
પ્રવચન નં. ૯
ગાથા-૧૩ તા. ૧-૧૨-૮૯ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પૂર્વરંગ-જીવ અધિકાર છે. તેની તેરમી ગાથા છે. આ ગાથામાં આચાર્યભગવાન એમ કહે છે કે-શુદ્ધનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય છે. અશુદ્ધનયથી એટલે કે વ્યવહારનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન પ્રગટ થઇ શકતું નથી. એમાં નિયમ નથી, જ્યારે આમાં તો નિયમ છે.
આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનથી” એટલે શુદ્ધનયથી જાણે સમ્યકદર્શન જ છે. (એ નિયમ કહ્યો.) આ ત્રિકાળ અબાધિત નિયમ છે. નવ તત્ત્વને કેવળ જાણે તો સમ્યકદર્શન ન થાય. નવ તત્ત્વમાંથી શુદ્ધનયનો વિષય (કાઢે તેને સમ્યક્દર્શન થાય.) વ્યવહારનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com