________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮
પ્રવચન નં. ૮ નિમિત્ત કર્તા જૂનાં કર્મનો ઉદય છે. નવાં કર્મ આને (નૈમિત્તિક ભાવબંધને) નિમિત્તે બંધાય છે. પણ એ નવા કર્મ (ક્ષણિક અશુદ્ધ ભાવબંધનો) તેનો કર્તા નથી; કેમકે તેનું નામ હજુ નૈમિત્તિક છે.
અહીંયા રાગ નિમિત્ત અને નવાં કર્મ બંધાય તે નૈમિત્તિક છે તે નવાંનો તો ઉદય આવતો નથી. જૂનાં કર્મનો ઉદય આવે છે-માટે ભાવબંધનું નિમિત્તકારણ જૂનાંકર્મ છે. બંધનો કરનાર-નિમિત્તકર્તા કોણ? કહે-જૂનાં કર્મનો ઉદય નિમિત્ત કર્તા.
હવે નિમિત્ત કર્તા બતાવ્યો તેમાં શું વીતરાગતા આવી ? કે-આત્મા અકર્તા છે એમ આવી ગયું-નિમિત્ત કર્તા નથી. ઉપાદાનપણે તો કર્તા નથી પણ નિમિત્ત કર્તાય નથી. કેમકે એકલો એકલો ભાવબંધરૂપે પરિણમતો નથી-તે પણ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં એ ખૂબી છે. આત્માને પર્યાય અપેક્ષાએ જુઓ તો પરિણમન સ્વભાવ છે. પરિણમન સ્વભાવ છે માટે ભાવબંધ થાય છે એમ નથી. તો તો સિદ્ધને પણ થવો જોઈએ-પણ એમ નથી. તત સમયની યોગ્યતાથી ભાવો થાય છે–તેનો નિમિત્તકર્તા જૂનાંકર્મ છે. ભગવાન આત્મા નિમિત્તકર્તા નથી-એ તો જ્ઞાતા છે.
મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-તે બન્નેમોક્ષ છે” “મોક્ષ થવા યોગ્ય' તે જીવ છે કે જીવના પરિણામ છે. કેમકે જીવતો ત્રિકાળ મુક્ત છે. “જીવ થવા યોગ્ય' તેમ ન હોય. પરિણામમાં થવા યોગ્ય હોય, દ્રવ્યમાં થવા યોગ્ય ન હોય. પરિણામે બંધ તથા પરિણામે મોક્ષતે બધું પરિણામમાં છે. થવાયોગ્ય, ઉપજને યોગ્ય તે બધા પરિણામના વિશેષણ છે, દ્રવ્યના વિશેષણ નથી. કેમકે દ્રવ્ય તો ત્રિકાળ મુક્ત છે.
આત્માનો મોક્ષ થયો! કેઃ ના, આત્માનો મોક્ષ થાય જ નહીં-તે ઉપચારનું કથન છે. હા, પરિણામનો મોક્ષ થાય છે. આત્મા તો ત્રિકાળ મુક્ત છે.
પ્રશ્ન - મોક્ષ થવા યોગ્ય જીવ છે કે જીવના પરિણામ ? ઉત્તર - જીવના પરિણામ. પ્રશ્ન - તો એ પરિણામ આત્મા એ કર્યા કે સ્વયં થયા? ઉત્તર - સ્વય થયા. પ્રશ્ન - એ તમે કોના આધારે કહો છો?
ઉત્તર – “થવાયોગ્ય’ શબ્દ વાંચ. કરવાથી થયા તેમ નથી લખ્યું. આત્મા કર્યા છે તેમ લખ્યું નથી. જેને જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા છે તે નવ તત્વને ભૂતાર્થનયે જાણે છે. અજ્ઞાની ભૂતાર્થનયે જાણી શકતો જ નથી. કેમકે કર્તા બુદ્ધિવાળો કે જ્ઞાતાબુદ્ધિવાળો ભૂતાર્થનયે જાણી શકે જ નહીં. તેને એકતાબુદ્ધિ છે સમજી ગયા. કર્તા બુદ્ધિમાં પણ એકતાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિમાં પણ એકતાબુદ્ધિ છે. માટે મોક્ષ થવા યોગ્ય થાય છે-મોક્ષનો કરનાર આત્મા નથી.
હવે એ મોક્ષ થવા યોગ્ય થયો તેનું કાળ પરિમાણ છે. મોક્ષનું પણ કાળ પરિમાણ છે. એના સ્વકાળે મોક્ષ થાય છે. સ્વકાળે એટલે આ ત્રિકાળ દ્રવ્ય નહીં, પણ એની પર્યાયની જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com