SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૮ પર્યાયનો ઉપાદાન કર્તા તો પર્યાયને કહ્યું પણ નિમિત્ત કર્તા કોણ? પરદ્રવ્યને નિમિત્તકર્તા કહ્યો એટલે આત્મા અકર્તા રહ્યો. તો જ આત્મા અકારણ સિદ્ધ થાય. અકર્તા તો સિદ્ધ થયો પણ અકારણે સિદ્ધ થવો જોઈએ ને!? નિમિત્તકર્તા બીજો બતાવ્યો એટલે આત્મા અકર્તા હાથમાં આવી ગયો. એમાં તો ફાયદો થઈ ગયો. તને નુકશાન ક્યાં થયું? ! આહા. હા! નુકશાન થયું નહીં અને પર્યાય પરાધીન થઈ નહીં. કેમકે નિશ્ચયથી તમારા જ્ઞાનમાં નિરપેક્ષ આવી ગયું છે હવે સાપેક્ષનું જ્ઞાન જ્યારે તમને થાય ત્યારે નિમિત્તકર્તા પેલો છે-હું નિમિત્તકર્તા નથી, તો અનુભવ થઈ જાય. પર્યાયનું જ્યારે પ્રમાણજ્ઞાન થાય છે ત્યારે પર્યાયમાં બે નય ઉતારી. પર્યાય એક અને તેમાં બે નય ઉતારે છે. નિશ્ચયથી નિરપેક્ષ અને વ્યવહારથી સાપેક્ષ છે. પરિણામ એક, તે જ પર્યાય નિરપેક્ષરૂપે પણ જણાય છે અને સાપેક્ષરૂપે પણ જણાય છે. આ ૧૩ ગાથામ દષ્ટિનો વિષય બતાવ્યો. આત્મા નિમિત્તકર્તા નથી તેમાં ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું. સાપેક્ષપણાને જાણવાની પણ કિંમત છે. સાપેક્ષ જાણવાની કિંમત એ છે કે આત્મા અકર્તા દષ્ટિમાં આવી જાય છે. એકલા નિરપેક્ષથી દષ્ટિમાં નથી આવતો; પર્યાયને સાપેક્ષથી જો ત્યારે અકર્તા દષ્ટિમાં આવે છે. પર્યાયને નિરપેક્ષથી જુઓ ત્યારે તેનો ઉપાદાન કર્તા હું નથી તેમ આવે. (હવે સાપેક્ષનો ખ્યાલ ન હોય તો) તેનું કારણ હું છું–તેમ આવી જાય. હું કર્તાય નથી ને કારણેય નથી. ઉપાદાન કર્તા પણ નહીં અને નિમિત્ત કર્તાપણ નહીં. કર્તાની વ્યાખ્યા બે પ્રકારે આવે છે ને? જો વ્યાય-વ્યાપકભાવે કર્તા હોય તો દ્રવ્યનો નાશ થાય. નિમિત્ત-નૈમિત્તિકભાવે જો કર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. પણ એમ છે નહીં. દોષ કેમ નથી આવતો ? નિમિત્તકર્તા બીજો છે તે મારા જ્ઞાનમાં આવી ગયું છે. નિમિત્ત કર્તા કર્મ છે-હું નહીં. ઉપાદાન કર્તા પર્યાય અને નિમિત્તકર્તા કર્મ. હું તો કોઈ અપેક્ષાએ કર્તા નથી. હું તો જ્ઞાયક છું. આમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જેની જેટલી શક્તિ હોય તેટલું આમાંથી કાઢી શકે. આ તો સમુદ્ર છે. બોલો ભાઈ ! જ્ઞાની નિશ્ચય-વ્યવહારને જાણે છે ને માને છે. અજ્ઞાની નિશ્ચય-વ્યવહાર બન્ને માંથી કોઈને જાણતો નથી. (પ્રશ્ન) તમે વ્યવહારને માનો છો? (ઉત્તર) હા, જો વ્યવહારને ન માનીએ તો આત્મા કર્તા થઈ જશે. આમાં એટલું બધું ભર્યું છે તું શાંતિથી સાંભળ! “થવા યોગ્ય અને કરનાર' એ બે શબ્દોમાં માલ ભર્યો છે. “થવા યોગ્યમાં” આત્મા ઉપાદાન કર્તા નથી-અકર્તા આવી ગયું અને “કરનાર' બતાવ્યો તેમાં આત્મા નિમિત્તકર્તા નથી તે આવી ગયું. સર્વ પ્રકારે આત્મા જ્ઞાતા-જ્ઞાયક રહ્યો. સર્વ પ્રકારે આત્મા અકર્તા રહ્યો. હવે જે જ્ઞાન પ્રગટ થયું તે સાપેક્ષ નિરપેક્ષને બન્નેને જાણે જ છે, પણ નય પક્ષ ગ્રહણ કરતું નથી. જાણવામાં નયપક્ષ નથી. જેમ છે તેમ જાણે છે. સાપેક્ષ પણ છે અને નિરપેક્ષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy