________________
૮૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ પણ છે. તો જ્ઞાતા સિદ્ધ થાય ને? નહીંતર તો નયપક્ષ છે. પક્ષમાં કાંઈ જ્ઞાતાપણું ન હોય. એક નયનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. આશ્રય એકનો જ્ઞાન નિશ્ચય-વ્યવહાર બન્નેનું.
આપણે તેમાં હેતુ આપ્યો ને? કે વ્યવહારનું જ્ઞાન શા માટે કરવું? વ્યવહારનું જ્ઞાન એટલા માટે કરવું કે આત્મા નિમિત્તકર્તા નથી. એમાં તને ફાયદો થયો, નુકશાન શું થયું? સાપેક્ષનું જ્ઞાન પણ જરૂરી છે નહીંતર આત્મા નિમિત્તકર્તા થઈ જાય. જો નિમિત્તકર્તા બીજો દેખાય તો આત્મા અકર્તા દેખાય; અકારણ દેખાય, જ્ઞાયક દેખાય.
એમ થાય છે કે આખી જિનવાણીને આત્મા જાણનાર છે એમ જ કહેવું છે. આખા સમયસારમાં આ જ સિદ્ધ કરવું છે. ચારેય અનુયોગને એક જ કહેવું છે–આત્મા જાણનાર છે. ખરેખર જાણનાર જણાય છે તેમાં સાધ્યની સિદ્ધિ થાય છે. કેમકે જાણનાર જેવો છે તેવો જણાય છે, ત્યારે જ સમ્યકદર્શન-સમ્યકજ્ઞાન થાય છે. અજ્ઞાની માને છે તેનાથી ઉલટો જણાય છે જાણનાર.
આ જે થવા યોગ્ય અને કરનાર બે શબ્દો આવે છે તેમાં અજ્ઞાનીને એમ લાગે કેથવા યોગ્ય અને કરનાર તેમાં (અજીવની સાથે ) કર્તાકર્મ સંબંધ નાખી દીધો. પરંતુ પર્યાયનું કર્તા કર્મ તો પર્યાયમાં છે. અહીં કરનાર કહ્યો એટલે નિમિત્તકર્તાની વાત છે. હેતુ શબ્દ વાપર્યો છે. હેતુ એટલે કારણ. નિમિત્તકારણ કર્મનો ઉદય છે. ચોખ્ખી વાત છે.
કરનારી હોય ત્યાં પોતાએ જ બે શબ્દ લગાડવા જોઈએ. ઉપાદાન કર્તા લખે છે કે નિમિત્તકર્તા લખે છે. –તેમ પોતાએ વિચારવું જોઈએ. ઉપાદાન કર્તા તો પર્યાયનો પર્યાય કહી દીધો. –થવા યોગ્ય થાય છે પછી બીજો ઉપાદાન કર્તા ક્યાંથી હોય? એક ઉપાદાન કર્તા હોય તો બીજો નિમિત્ત કર્યા હોય. કેમકે આ નવ તત્ત્વો છે તે વિભાવ-વિશેષ ભાવો છે. અગુરુલઘુગુણ કે અસ્તિત્વગુણની વાત નથી–એ તો પર્યાયનો સ્વભાવ જ છે. આ પર્યાયનો વિભાવ એટલે ઉપાધિ છે. નવેય છે તે ઉપાધિભાવો છે તેથી તેમાં નિમિત્ત હોય જ.
અકર્તા છે એટલે જાણનાર છે. અકર્તા શું કામ કહ્યું? કર્તબુદ્ધિ છોડાવવા માટે. અકારક અને અવેદક-અકર્તા એવો જ્ઞાયક એવો જ્ઞાનીઓ પ્રયોગ કરે છે. કર્તા છે એવો જ્ઞાયક એમ નથી લખ્યું.
ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર તે બન્ને પુણ્ય છે. એક ભાવ પુણ્ય અને એક દ્રવ્ય પુણ્ય-ભાવપુણ્ય છે તેને દ્રવ્યપુણ્યની અપેક્ષાએ નૈમિત્તિક કહેવાય. હવે આની અંદર પણ ગુરુદેવે એક ભેદ એવો લીધો છે કે-જ્યારે જીવના પરિણામમાં પુણ્ય પરિણામ હોય ત્યારે એને એ અઘાતિકર્મ નિમિત્ત ન હોય, ઘાતિકર્મ જ નિમિત્ત હોય. ઘાતિકર્મમાં પણ મોટું નામની પ્રકૃતિ એકલી પાપની જ હોય. ત્યાં પાપ પ્રકૃતિ છે અને છતાં અહીંયા ભાવ પુણ્ય અને ત્યાં (કર્મપ્રકૃતિને) દ્રવ્ય પુણ્ય કહ્યું. (કર્મમાં) દ્રવ્યપાપ હોવા છતાં દ્રવ્ય પુણ્ય કહ્યું. શું કામ? કેઅહીંયા જેવા પરિણામ છે તેનો આરોપ તેમાં (કર્મપ્રકૃતિ) ઉપર મૂક્યો. નૈમિત્તિકનો આરોપ નિમિત્તમાં ઉતાર્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com