SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ પ્રવચન નં. ૭ મારો સ્વભાવ નથી. પહેલા નિશ્ચય સિદ્ધ કર્યું પછી વ્યવહાર. પહેલા નિરપેક્ષ પછી સાપેક્ષ. પહેલા પર્યાયને કર્મથી નિરપેક્ષ અને આત્માથી પણ નિરપેક્ષ જોવી તે નિશ્ચયનય. પછી નવ તત્ત્વની સિદ્ધિ કરે છે ત્યારે શું કરે છે.દ્રવ્યથી નિરપેક્ષ અને કર્મથી સાપેક્ષ. દ્રવ્યથી સાપેક્ષ (ક્યાંય ) નહીં ત્યે તે ધ્યાન રાખજો. આ સૂક્ષ્મ છે. પહેલા નિરપેક્ષ સિદ્ધ કરી અને વ્યવહાર પણ સિદ્ધ કરે છે. જો એ પ્રકારનો વ્યવહાર જ ન હોય સર્વથા તો તો અનાદિકાળથી જે અજ્ઞાન ચાલ્યું આવે છે તે સિદ્ધ ન થાય. અને વ્યવહાર સિદ્ધ કરવો હોય તો અજ્ઞાન ટળે તો નિશ્ચય (પ્રગટ્યો તે) પણ વ્યવહાર. અશુદ્ધ પર્યાય પણ વ્યવહાર અને શુદ્ધ પર્યાય પણ વ્યવહાર. એ બન્નેમાં સાપેક્ષતા છે. કર્મની અપેક્ષા છે માટે વ્યવહાર થઇ ગયો. ઉપાદાનમાં નવમાં કર્મથી નિરપેક્ષ લીધું હતું. રાગ પણ નિરપેક્ષ લીધો હતો-અશુદ્ધ ઉપાદાન લીધું 'તું આ (વ્યવહારમાં) અશુદ્ધ ઉપાદાન નથી લીધું પણ નૈમિત્તિક ભાવ લીધો છે. રાગ અશુદ્ધ ઉપાદાન....અને તેને ને તેને કર્મથી સાપેક્ષ જુઓ તો તેનું નામ નૈમિત્તિકભાવ છે. નૈમિત્તિક ભાવ કહો તો વ્યવહાર થઈ ગયો અને તેને અશુદ્ધ ઉપાદાન કહો તો તે ભૂતાર્થનયનો વિષય થઇ ગયો રાગનું કોઇ કારણ નથી. તે નૈસર્ગિક સ્વેચ્છાએ આપોઆપ વિકલ્પની જાળ ઉભી થાય છે. એક જ પરિણામને તમે બે દષ્ટિકોણથી જુઓ. પહેલા તમે નિરપેક્ષ-નિશ્ચયથી જુઓ. પરિણામનું કારણ પરિણામ છે. પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને પરિણામનું કારણ કર્મનો ઉદય આદિ પણ નથી. એમ (સ્વીકારે) ત્યારે જ્ઞાતા થઇ જાય. નિરપેક્ષથી જુએ અને પછી વ્યવહારથી જુએ તો એ બરોબર છે. (વ્યવહારમાં) કર્મનો સદ્દભાવ અને અભાવ બન્ને લેશે–તેમાં આત્માને તો લીધો જ નથી. તેને બિલકુલ અલગ રાખ્યો છે. પર્યાય છે એ કર્મથી સાપેક્ષ છે વ્યવહારે તો પણ દ્રવ્યથી તો નિરપેક્ષ છે. (આત્મા) ઉપચારથી પણ કર્તા નથી તે આવ્યું. આ તો જંગલમાં મંગલ છે. (શ્રોતા-આત્મા કર્તા તો નથી કારણ પણ નથી.) તો કારણ કોણ છે? કર્મ. “થવા યોગ્ય અને કરનાર,' કરનારમાંનિમિત્તમાં કર્મ લીધું પણ..નિમિત્તમાં આત્મા ન લીધો. વ્યવહારમાં પણ પર લીધું સ્વ ન લીધું (શ્રોતા નવતત્ત્વો પરસંગથી થાય છે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરની સાથે હોય સ્વની સાથે ન હોય. જેટલું જાણવામાં આવે છે એટલું શબ્દમાં ન આવે તેમ ગુરુદેવ કહેતા હતા. “હું ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા” આ તો સમુદ્ર છે. આ તો ઘૂંટાતું'તું..તેરમી ગાથા લઉં કે ન લઉં તેમ થતું હતું...કારણ કે લઉં તો આ બધું ખોલવું જોઇએ. પછી નિર્ણય કર્યો કે લઈ જ લઉં. જ્યારે અભૂતનાર્થનયે નવતત્ત્વોને સિદ્ધ કરે છે. ત્યારે નિમિત્ત નૈમિત્તિકવાળો આખો પારી છે. નિશ્ચયની તો એક જ લીટી લખી અને બાકી બધો વ્યવહારનો વિસ્તાર કર્યો. (શ્રોતા:- વ્યવહાર તો સાપેક્ષ છે અને નિશ્ચય નિરપેક્ષ છે.) નિરપેક્ષ તત્ત્વ રાખીને Please inform us of any errors on [email protected]
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy