________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ સંબંધથી થાય.
૮૧
તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે ” એ નિશ્ચય રત્નત્રયના પરિણામ એવો વ્યવહાર એ ઉત્પન્ન કેમ થાય છે? અનંતકાળથી આગ્નવ, બંધ ઉત્પન્ન થાય છે તેનો તેને અભાવ થઈને સંવર, નિર્જરા, મોક્ષ ઉત્પન્ન થાય છે. તો નવેની સિદ્ધિ થઈ ગઈ. અહીંયા નવની સિદ્ધિ કરવી છે.
અભૂતાર્થનવે નવ તત્ત્વની સિદ્ધિ કરવી છે. કેમકે જો નવની સિદ્ધિ કરે તો મોક્ષમાર્ગની સિદ્ધિ થાય, નહીંતર મોક્ષમાર્ગની સિદ્ધિ નહીં થાય. કેમકે અજ્ઞાન હોય તે ટળી ને જ્ઞાન થાય ને? મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વ ટળે ને સમ્યક્દર્શન થાય. આસ્રવ, બંધ હોય તો એ ટળીને સંવર, નિર્જરા ને મોક્ષ થાય. ઓના વ્યયપૂર્વક આનો ઉત્પાદ થાય.
એક તો વ્યયપૂર્વક ઉત્પાદ થાય તે સમજાતિમાં, અને એક વ્યયપૂર્વક ઉત્પાદુ થાય વિષમ જાતિમાં જાય છે. સમજાતિ શું અને વિષમજાતિ શું? મિથ્યાત્વનો ઉત્પાદું તે મિથ્યાત્વનો વ્યય થઈને ફરી પાછો મિથ્યાત્વનો ઉત્પાદુ; મિથ્યાત્વનો વ્યયને ઉત્પા...વ્યયને ઉત્પાદ એવો પ્રવાહુ અનાદિકાળથી ચાલ્યો આવે છે, આ સમજાતિના પરિણામમાં ઉત્પા વ્યય છે.
હવે મિથ્યાત્વનો વ્યય અને સમ્યક્દર્શનનો ઉત્પાદુ થાય છે તે વિષમજાતિના ઉત્પા વ્યય છે. તેથી વ્યવહારનયે નવ તત્ત્વો સિદ્ધ થાય છે હોં ! વ્યવહારનયે આ નવ તત્ત્વો છે ખરાં. જો તમે તેને જાણવામાંથી ઉડાડશો તો નિશ્ચય રત્નત્રય નહીં થાય. કેમકે આસ્રવના અભાવપૂર્વક સંવર અને બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે, તે અભાવની અપેક્ષા રાખે છે. મોક્ષ એટલે મૂકાવું. મોક્ષની સિદ્ધિ કરતાં બંધની સિદ્ધિ થઈ જાય છે. બંધની સિદ્ધિ થાય છે તો આ નવ તત્ત્વોની સિદ્ધિ થઈ ગઈ. નવ તત્ત્વોની સિદ્ધિ જો વ્યવહાર કરે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવો પડે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નહોતો લીધો–બન્નેમાં ઉપાદાન લીધા'તા ત્યારે ભૂતાર્થનય થયું. નિમિત્ત-નૈમિત્તિક કહો તો અભૂતાર્થનયે નવ તત્ત્વો ઉભા થાય છે.
પોતે જ નિમિત્ત-નૈમિત્તિક લીધું છે. આમાં આવશે...આમાં બધું જ છે. આહાહા ! વ્યવહાર પણ કોઈ સિદ્ધ કરે છે ને અપૂર્વ. ભૂતાર્થ તો સિદ્ધ કરે છે પણ વ્યવહારની સિદ્ધિ જેમ છે એમ કરે છે. શું કહ્યું? “તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં,” અભૂતાર્થનયથી શું કહેવામાં આવે છે? આ નવ તત્ત્વો કહેવામાં આવે છે. જુઓ! ભૂતાર્થનયથી જાણેલ જીવાદિ નવ તત્ત્વો. ભૂતાર્થનયનો વિષય થયો નવ અને અભૂતાર્થનયનો પણ વિષય થાય.
(શ્રોતા પહેલા ભૂતાર્થનયથી જાણ્યું પછી અભૂતાર્થનયથી !?) હા, પછી અભૂતાર્થનય લીધી. કેમકે ભૂતાર્થનથી જાણતાં સમ્યક્રદર્શન થયું. જ્યારે સમ્યફદર્શન થાય છે, તેને અભૂતાર્થનયે ખ્યાલ આવે છે. આહાહા ! આ તો અભૂતાર્થનયથી ઉત્પન્ન થયા છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com