________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭)
પ્રવચન નં. ૬ અગ્નિ નિમિત્ત નથી. તેની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી.
અત્યારે આ વાત ઉપાદાનની ચાલે છે. અગ્નિ અગ્નિ છે, લાકડું લાકડું છે. લાકડું અગ્નિ નથી–અગ્નિ લાકડું નથી. અગ્નિથી લાકડું બળતું તો નથી પણ લાકડું સ્વયં પોતાની યોગ્યતાથી જ્યારે બળે છે ત્યારે તેમાં અગ્નિ નિમિત્ત નથી. બે દ્રવ્યો વચ્ચે તમે નિમિત્તનૈમિત્તિક સંબંધ જાણ્યો તો શુદ્ધનયનો વિષય ગયો હાથમાંથી (એટલે કહેવાનો આશય એ છે કે-પ્રથમ નિરપેક્ષ જાણો.)
અગ્નિથી લાકડું બળતું નથી-કારણ કે બે પદાર્થ સ્વતંત્ર છે. લોકોને થાય કે વાહ! કર્તાકર્મનો કેવો સરસ નિષેધ કરાવે છે. અમે ક્યાં કહીએ છીએ કે-અગ્નિથી લાકડું બળે છે, પણ અમે એમ કહીએ છીએ કે-લાકડું બળે ત્યારે અગ્નિના નિમિત્ત વિના બળે નહીં. બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે-સમજી ગયા.
અહીં કહે છે કે-અગ્નિની પર્યાય નિમિત્તથી નિરપેક્ષ જ થઈ છે. અગ્નિની પર્યાય અગ્નિથી નિરપેક્ષ છે તો પછી લાકડાથી સાપેક્ષ ક્યાંથી હોય. નિમિત્ત-નૈમિત્તિક સંબંધના નામે વ્યવહારનો પક્ષ જીવને જીવતો રહી જાય છે. ત્રિકાળી વસ્તુમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. ત્રિકાળી દ્રવ્યને કોઈ પદાર્થ સાથે કાંઈ સંબંધ ન હોય. હા, પર્યાય સંબંધ કરે છે, અને પર્યાય સંબંધ છોડે છે, તે પર્યાય આત્માથી ભિન્ન છે. એ તો એનું સ્વરૂપ જ નથી.
કળશ ટીકા- “અહીંથી હવે તે જ શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? વસ્તુમાત્રને આધીન છે. ત્યાં સમયસારમાં- “શુદ્ધનયને આધીન જે શબ્દ હતો તેને બદલે અહીં “વસ્તુમાત્રને આધીન છે” એમ. શુદ્ધનય તેને (વસ્તુને) પ્રસિદ્ધ કરે કે ન કરે-વસ્તુ તો વસ્તુમાત્રને આધીન છે. જ્ઞાયક આત્માને અજ્ઞાની જાણે કે ન જાણે ! શુદ્ધનય પ્રગટ કરે કે ન કરે-જ્ઞાયક તો જ્ઞાયક છે.
(સમયસારમાં) શુદ્ધનયથી તો આત્માનો અનુભવ થાય છે એટલે શુદ્ધનય તેને પ્રગટ કરે છે. “શુદ્ધનયને આધીન કહ્યું ત્યાં.” અહીંયા ( રાજમલજીએ) એમ લખ્યું કે શુદ્ધનયનો અર્થ કર્યો-“વસ્તુમાત્રને આધીન.” પર્યાય મને પ્રગટ કરે કે પર્યાય મને પ્રગટ ન કરે હું તો પરમાત્મા છું. કોઈ મને જાણે કે મને ન જાણે-પરિણામ અને પ્રસિદ્ધ કરે કે ન કરે-હું તો શુદ્ધ પરમાત્મા છું.
જુઓ! અહીં “વસ્તુમાત્રને આધીન” તેમ કહ્યું. શુદ્ધનયને આધીન તે વ્યવહાર થઈ ગયો. અશુદ્ધનય આત્માનો અનુભવ નથી કરી શકતી અને શુદ્ધનય આત્માને પ્રગટ કરે છે. શુદ્ધનય દ્વારા જ આત્મા અનુભવમાં આવે છે એટલે શુદ્ધનયને આધીન કહ્યું. પણ વસ્તુ જુઓ તો !? વસ્તુ તો વસ્તુમાત્રને આધીન છે–સત્ અહેતુક છે. જ્ઞાયકભાવ જે છે તે શુદ્ધનયને આધીન નથી, વસ્તુમાત્રને આધીન છે.
દ્રવ્યસ-ગણસ-પર્યાયસત; સની હદે પહોંચતા; કોઈ કોઈને પ્રગટ કરે તો છે ને પ્રગટ ન કરે તો નથી એમ છે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com