________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬
પ્રવચન નં. ૬ ભિન્નને જાણા કરે તો સ્વદ્રવ્ય ન જણાય. કર્તા બુદ્ધિમાં ન જણાય અને જ્ઞાતાબુદ્ધિમાં સ્વદ્રવ્ય ન જણાય. તે તો જ્ઞાયકનો જ્ઞાતા છે અને ગાયકના જ્ઞાતા પણે જ સદા પરિણમે છે. છતાં જે આત્માથી ભિન્ન છ દ્રવ્યો છે તેને હું જાણું છું એ અધ્યવસાન મિથ્યાત્વ છે. કરું છું (છ દ્રવ્યને) તેમાં તો અધ્યવસાન છે જ, પણ તેને જાણું છું તે પણ અધ્યવસાન છે-છ દ્રવ્યને જાણતાં આત્મા નહીં જણાય. નવ તત્ત્વના ભેદને જાણતાં આત્મા નહીં જણાય. ગુણભેદને જાણતાં ગુણી નહીં જણાય.
શુદ્ધનયને આધીન સર્વદ્રવ્યોથી ભિન્ન આત્મ જ્યોતિ પ્રગટ થઈ જાય છે. “શુદ્ધનયને આધીન એમ ચોથા શ્લોકમાં ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે.”
પ્રવચન નં. ૬
કળશ નં-૭ તા. ૨૦-૭-૮૯ આ આત્માનું સત્યાર્થ, ભૂતાર્થ સ્વરૂપ શું છે? અને તેની પ્રસિદ્ધિ એટલે અનુભૂતિ કેમ થાય? તે બતાવનારી આ આત્મખ્યાતિ નામની ટીકા છે.
શુદ્ધાત્માના ભાન-જ્ઞાન-અને આચરણ વિના અનંત-અનંત કાળ વીત્યો. અનંતકાળથી આત્મા ચારગતિના દુ:ખને ભોગવે છે. તે દુ:ખથી મૂકાવાનો નાસ્તિથી આમાં ઉપાય બતાવ્યો છે. (અતિથી) આત્મિક સુખની ઉપલબ્ધિ કેમ થાય તેનો ઉપાય આ (શાસ્ત્રમાં ) બતાવે છે.
નવ તત્ત્વના ભેદથી ભિન્ન અભેદ સામાન્ય આત્મા એક સમયમાત્ર પણ તેને દષ્ટિમાં લીધો નથી. નવ તત્ત્વને જાણ્યા અનંતવાર પણ નવ તત્ત્વના પરિણામની મધ્યમાં છુપાયેલી આત્મજ્યોતિ છે તેની અંતર્સન્મુખ થઈ ને શુદ્ધાત્માનો અનુભવ તેણે સમયમાત્ર પણ કર્યો નથી.
તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને તેનો અનુભવ કેમ થાય તે બતાવનારું આ શાસ્ત્ર છે-તેની તેરમી ગાથા પૂર્વે ઉત્થાનિકાનો આ શ્લોક છે.
હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન”, શુદ્ધનય એટલે ભાવશ્રુત જ્ઞાન, અતીન્દ્રિયજ્ઞાન તેના દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. રાગથી આત્માનો અનુભવ થતો નથી. જેમ રાગ દ્વારા આત્મા જણાતો નથી તેમ પુણ્યના પરિણામ દ્વારા ભગવાન આત્મા પ્રસિદ્ધ થતો નથી, અને શાસ્ત્રજ્ઞાન એટલે ઈન્દ્રિયજ્ઞાન દ્વારા પણ આત્મા જાણી શકાતો નથી. અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે–તેથી શુદ્ધનયને આધીન આત્મા છે.
સર્વ દ્રવ્યોથી ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે.” સર્વ દ્રવ્યોથી ભિન્ન એટલે જુદો છે આત્મા. તે દેહ, મન, વાણીથી ભિન્ન, આઠકર્મથી ભિન, ભાવકર્મ એટલે મિથ્યાત્વ, અવિરત, કષાય, યોગ તે ચાર પ્રકારના વિભાવભાવ તેનાથી પણ આત્મા અંતરમાં જુદો છે. તેવી આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે-એમ કહે છે; થશે એમ નહીં.
જ્યાં બહિર્મુખ દશા છોડીને, જ્યારે આત્મા અંતર્મુખ થાય છે ત્યારે તેને, “હું એક જ્ઞાયક ભાવ છુંતેમ તેને અનુભવમાં આવે છે. તેવી અનુભવની દશાને સમ્યકદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com