________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૮૫
આવું નિવેદન કર્યું ત્યારે ‘બહુ સારું, કલ્યાણ હો' એમ આચાર્યદેવે આશિષ-વચન કહ્યા.
ત્યારબાદ, જો કે શુભસ્વપ્ન ઉપરથી જ તે બન્ને મુનિઓની વિશેષતા જાણી લીધી હતી છતાં ફરીને પરીક્ષા કરવા માટે ધરસનાચાર્યદેવે તે બન્ને સાધુઓને બે મંત્રવિધા આપીને કહ્યું કે, બે દિવસના ઉપવાસપૂર્વક આ વિદ્યાને સિદ્ધ કરો. પરીક્ષા કરવા માટે આચાર્યદેવ એક વિધાના મંત્રમાં વધારે અક્ષરો આપ્યા હતા ને બીજામાં ઓછા અક્ષરો આપ્યા હતા. બન્ને મુનિઓને વિદ્યા સિદ્ધ થતાં બે દેવીઓ દેખાણી, પણ તેમાં એકના દાંત બહાર નીકળેલા હતા ને બીજી કાણી હતી. તેને જોઈને મુનિઓએ વિચાર્યું કે. ‘દેવતાઓ કદી વિકૃતાંગ હોતાં નથી' માટે જરૂર વિધાના મંત્રમાં કંઈક ફેર છે. મહાસમર્થ એવા તે મુનિવરોએ મંત્રાક્ષો સરખા કર્યા જેમાં વધારે અક્ષરો હતા તે કાઢી નાંખ્યા, ને જેમાં ઓછા અક્ષરો હતા તે પૂરા કર્યા. પછી તે મંત્ર પઢતાં બન્ને દેવીઓ સ૨ખા રૂપમાં દેખાણી. ભગવાન ધસેનાચાર્યદેવ પાસે જઈને તેઓએ વિનયપૂર્વક સમસ્ત વૃત્તાંત કહેતાં આચાર્યદેવે સંતુષ્ટ થઈને તેમને ભગવાનની સીઘી પરંપરાથી ચાલ્યું આવેલું અગાધ શ્રુતજ્ઞાન ભણાવવું શરૂ કર્યું; ને અષાડ સુદ અગીયારસે સવારે ગ્રંથ સમાપ્ત થતાં ભૂત જાતના વ્યંતરદેવોએ આવીને વાજિંત્રનાદપૂર્વક તે બન્નેની ભારે પૂજા કરી. ભૂત નામના દેવોએ પૂજા કરી તેથી ધરસેનાચાર્યદેવે એકનું નામ ‘ભૂતબલિ ’ રાખ્યું, ને બીજા મુનિના દાંત દેવોએ સરખા કરી દીધા તેથી તેનું નામ ‘પુષ્પદંત ’ રાખ્યું. અને એ રીતે ધરસેનાચાર્યદેવે શ્રુતજ્ઞાન ભણાવીને તરત તે પુષ્પદંત અને ભૂતલિ મુનિવરોને ત્યાંથી વિદાય આપી.
ત્યારબાદ તે બન્ને મુનિવરોએ તે શ્રુતજ્ઞાનને ષવંડામ રૂપે ગૂંછ્યું....ને અંકલેશ્વરમાં (લગભગ બે હજાર વર્ષ પહેલાં)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com