________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૬૧ ધર્મી જાણે છે કે દેવ-મનુષ્ય વગેરે હું નથી, તેમાં રહેલું જે ચૈતન્યપણું છે તે જ હું છું જ્ઞાનસ્વરૂપ આત્મા તો હું છું, ને શરીરકર્મ વગેરે તો જડસ્વરૂપ છે, તે હું નથી. રાગ પણ ઉપાધિ રૂપ ભાવ છે, તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે.-આવા ભેદજ્ઞાન વગર ધર્મ થતો નથી.
પ્રશ્ન:- આ શરીર વગેરે બધું દેખાય છે ને?
ઉત્તર:- શરીર દેખાય છે પણ તે જડ છે એમ દેખાય છે. આત્મા કાંઈ જડ નથી. શરીરને જાણનારો શરીરથી જુદો છે, તે જાણનાર પોતે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જે જાણે છે તેને બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં વૃદ્ધતા હોતી નથી, પુણ્યના ઠાઠ હોય તેમાં સુખબુદ્ધિ થતી નથી, ને પ્રતિકૂળતા હોય તેને દુઃખનું કારણ માનતા નથી, સંયોગથી જાદો હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ છું—એમ ધર્મી જાણે છે. અલ્પ હર્ષ-શોક થાય પણ તે કોઈ સંયોગને પોતાના માનીને હર્ષ-શોક થતા નથી. અજ્ઞાની ચૈતન્યસ્વરૂપને ચૂકીને આ જડ શરીરને જ પોતાનું માને છે. આ શરીર તો જડ-કલેવર-મદું છે, અજ્ઞાની તે મડદાને જ પોતાનું સ્વરૂપ માનીને અનાદિકાળથી મડદાને સાથે લઈને ફરે છે, પણ “આ શરીર તો જડ મડદું છે ને હું ચિદાનંદસ્વરૂપ જીવતો જીવ છું”—એમ ભાન કરીને જડ-મડદાની મૂર્છા છોડતો નથી; તેને શરીર વહાલું લાગે છે, પણ ચૈતન્યભગવાન વહાલો લાગતો નથી. જ્ઞાનીને તો એક પોતાનો ચૈતન્ય ભગવાન જ વહાલો છે, એ સિવાય સમસ્ત બાહ્ય પદાર્થોને પોતાથી ભિન્ન જાણે છે, તેમાં કયાંય મૂછતા નથી.
જાઓ, શ્રી રામચંદ્રજી ધર્માત્મા છે, ચરમશરીરી એ જ ભવે મોક્ષ જનારા છે; તેમને અંતરમાં ભાન છે કે આ લક્ષ્મણ વગેરેથી મારો આત્મા ભિન્ન છે, પણ હજી રાગ છે એટલે લક્ષ્મણના મડદાને છ મહિના સુધી સાથે લઈને ફરે છે. તેમના બે પુત્રો ( લવ-અંકુશ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com