________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૫૦ : આત્મભાવના
બહિરાત્મા જીવની મિથ્યાબુદ્ધિનું વર્ણન
હવે બહિરાત્મપણું છોડાવવા માટે આચાર્યદેવ તેનું સ્વરૂપ સ્પષ્ટપણે ઓળખાવે છે; તેમાં પહેલાં એ બતાવે છે કે બહિરાત્માને દેહમાં જ આત્મબુદ્ધિ કેમ થઈ ગઈ છે? –
बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्मुखः
स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।। ७॥ બહિરાત્મા પોતાના આત્મજ્ઞાનથી પરાંમ્મુખ વર્તતો થકો, ઇન્દ્રિયોહારા શરીરાદિ બાહ્ય પદાર્થોને જ જાણવામાં તત્પર છે, આત્માને તો તે દેખતો નથી, તેથી તે શરીરને જ આત્મા તરીકે માની લે છે, તેને દેહાધ્યાસ થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું તેને ભાસતું જ નથી. જ્ઞાનને આમ-બહારમાં જ જોડે છે,- પણ અંદરમાં વાળતો નથી. બહા૨માં ઇન્દ્રિયોના અવલંબને તો જડ દેખાય, કાંઈ આત્મા ન દેખાય; તેથી તે બહિરાત્માને શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ ભાસતું જ નથી, તે તો શરીરને જ આત્મા માને છે. અરે ! કેવી ભ્રમણા !! કે પોતાનું અસ્તિત્વ જ પોતે ભૂલી ગયો! ને જડમાં જ પોતાનું અસ્તિત્વ માની બેઠો!–એને સમાધિ કયાંથી થાય ?
આ સમાધિશતક છે; તેમાં આત્માને સમાધિ કેમ થાય? તે બતાવે છે. સમાધિ તે સ્વાધીન છે-આત્માને આધીન છે, બહારને આધીન નથી. દેહાદિથી ભિન્ન, અનંત જ્ઞાન-આનંદ સંપન્ન મારું અસ્તિત્વ છે એવા ભાનપૂર્વક આત્મામાં એકાગ્રતા રહે તેનું નામ સમાધિ છે. પણ દેહાદિથી ભિન્ન આત્માને ભૂલીને, શરીર વગેરે ૫૨દ્રવ્યોને જ જે ‘આત્મા’ માને તેને બાહ્ય વિષયોમાંથી એકાગ્રતા છૂટે નહિ ને આત્મામાં એકાગ્રતા થાય નહિ એટલે તે સમાધિ ન થાય, તેના આત્મામાં તો અસમાધિનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com