________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : આત્મભાવના તે પરમાત્મા છે. તે પરમાત્મા પરિપૂર્ણ જ્ઞાનસહિત છે; અનાદિઅનંત કાળને જેમ છે તેમ પોતાના દિવ્ય જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણે છે. જેનો ક્યાંય છેડો નથી એવા અનંત અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ જાણે છે, એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને અનાદિઅનંત કાળને કે અનંત આકાશને પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો-એમ કાંઈ નથી; જો છેડો આવી જાય તો અનાદિ-અનંતપણું કયાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને અનાદિઅનંતરૂપે જ જેમ છે તેમ જાણ્યું છે.આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે. અજ્ઞાનીને અનાદિઅનંતકાળની મહાનતા ભાસે છે, પણ જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં અનંતગણી મહાનતા છે તે તેને ભાસતી નથી, અને જ્ઞાનસ્વભાવનો મહિમા પ્રતીતમાં આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું તેને મોટું લાગે છે પણ જ્ઞાનનું અનંતસામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ “અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે ?' એમ તેને શંકા પડે છે, તેમાં ખરેખર તો જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય મોટું છે, એમ જો વિશ્વાસ આવે તો જ તેને અનાદિ અનંતનું જ્ઞાન કઈ રીતે થાય છે તે ખ્યાલમાં આવે. અહા ! અચિંત્ય જ્ઞાનસામર્થ્યમાં અનાદિઅનંતકાળ તો કયાંય સમાઈ જાય છે, ને કાળ કરતાંય અનંતગણું આકાશ પણ તેમાં પરિપૂર્ણ જણાઈ જાય છે. આવું જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ જેમને પરિપૂર્ણ પ્રગટી ગયા છે એવા પરમાત્માને કેવળી કહો, શુદ્ધ કહો, જિન કહો, ઈશ્વર કહો, બુદ્ધ કહો, મહાવીર કહો, સીમંધર કહો, “સમયસાર” કહો;-ઇત્યાદિ અનેક નામોથી કહેવાય છે.
તે પરમાત્મા સુધા-તૃષા-રોગાદિ દોષોથી રહિત છે તેથી તેમને નિર્દોષ” પણ કહેવાય છે. ભગવાનને પરિપૂર્ણ જ્ઞાનપ્રકાશ પ્રગટી ગયો છે તેથી તેમને “પરમજ્યોતિ” અથવા “ચૈતન્યસૂર્ય”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com