________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૯ લીન થઈને કેવળજ્ઞાન-અનંત આનંદ વગેરે જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે.
આ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ દશામાંથી એક વખતે એક દશા વ્યક્ત હોય છે. બહિરાત્મદશા વખતે અંતરાત્મપણું કે પરમાત્મપણું વ્યક્ત ન હોય; અંતરાત્મદશા વખતે પરમાત્મપણું કે બહિરાત્મપણું ન હોય; અને પરમાત્મદશા વખતે બહિરાત્મપણું કે અંતરાત્મપણું ન હોય. અરિહંત અને સિદ્ધ ભગવાન તે પરમાત્મા છે; ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક જીવો તે બધાય અંતરાત્મા છે, અને મિથ્યાદષ્ટિ જીવો બહિરાત્મા છે.
બહિરાત્મદશા વખતે પણ આત્માની શક્તિમાં પરમાત્મા થવાની તાકાત પડી છે. ભગવાને સમવસરણમાં એવી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા આત્મામાં પરમાત્મશક્તિ ભરેલી છે, તે શક્તિનો વિશ્વાસ કરો. જે જીવ પોતાની પરમાત્મશક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મદશા હતી, પણ પછી પોતાની પરમાત્મશક્તિનું શ્રવણ કરતાં તેનું બહુમાન લાવીને, તેની સન્મુખ થતાં તે બહિરાત્મપણું ટળ્યું ને અંતરાત્મપણું થયું. ને પછી સ્વભાવમાં લીન થઈને તેઓ પરમાત્મા થયા. આ રીતે પહેલાં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને અંતરાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે. અભવ્યમાં પણ એવી તાકાત છે; પણ તે પોતાની શક્તિની પ્રતીત કદી કરતો નથી તેથી તે તેને કદી વ્યક્ત થતી નથી. કોઈ એમ કહે કે અભવ્ય જીવમાં કેવળજ્ઞાનની શક્તિ નથી,-તો તે વાત જાઢી છે, અભવ્યને પણ કેવળજ્ઞાનાવરણીયકર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com