________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮: આત્મભાવના ઉત્સાહ શો? અરે જીવ! જ્યાં અનંતસુખનું વેદન છે એવા તારા સ્વરૂપની પ્રીતિ તે ન કરી, ને જેમાં એકલું દુઃખ છે એવા બાહ્ય વિષયોમાં પ્રીતિ કરી તું મોહ્યો. હવે તો તું જાગ અને વિવેક કર.
સ્વ-પરને જુદા જાણીને સ્વરૂપનો પ્રેમ કર. જ્ઞાની બાહ્યસામગ્રી વચ્ચે ઊભેલા દેખાય, રાગ પણ દેખાય, પણ એની રૂચિની દિશા પલટી ગઈ છે, એની શ્રદ્ધા શુદ્ધાત્મામાં જ પ્રવેશી ગઈ છે. એટલે શુદ્ધાત્માની શ્રદ્ધા કે પ્રીતિ છોડીને તેને કોઈ રાગ આવતો નથી. સ્વભાવનું સુખ જેણે ચાખ્યું તેને પરભવમાં કયાંય એકત્વબુદ્ધિથી લીનતા થાય જ નહીં. આ રીતે જ્ઞાનીની પરિણતિ પર વિષયોથી પાછી વળીને નિજાત્માને જ ધ્યેય બનાવે છે. (૯૫-૯૬)
હવે ધ્યેયરૂપ શુદ્ધઆત્મા કે જેમાં ચિત્તને લીન કરવાનું છે, તેની ઉપાસના બે પ્રકારે છે–એક ભિન્ન ઉપાસના અને બીજી અભિન્ન ઉપાસના. એ બન્નેનું સ્વરૂપ દષ્ટાંતસહિત સમજાવે છે; તથા તેનું ફળ પણ બતાવે છે.
ધર્માત્માને જે વિષયમાં ચિત્તની લીનતા કરવા જેવી છે તે ધ્યેયની ઉપાસના બે પ્રકારે છે–એક તો ભિન્નઆત્મા અરહંત-સિદ્ધ ભગવાન; અને બીજાં અભિન્ન એવો પોતાનો આત્મા. તેમાં ભિન્ન આત્માની ઉપાસનાનું ફળ શું છે તે દષ્ટાંતસહિત બતાવે છે.
* * * * * * સિદ્ધને ઓળખીને ઉપાસતાં સિદ્ધ થવાય છે
भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः। वर्तिीपं यथोपास्य भिन्ना भवती तादशी।।९७।। આ આત્મા પોતાથી ભિન્ન એવા અરિહંત તથા સિદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com