________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
આત્મભાવનાઃ ૩૩૫
અવસ્થામાં અજ્ઞાન જ વર્તી રહ્યું છે. જેમાં જેને હિતબુદ્ધિ હોય છે તેમાં જ તેનાં શ્રદ્ધા-જ્ઞાન વર્તે છે. જ્ઞાનીને આત્મામાં જ હિતબુદ્ધિ છે તેથી ઊંઘ વખતે પણ તેને આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન વર્તે છે. અને અજ્ઞાનીને દેહાદિ બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ છે તેથી તેને સદાય દેહાદિમાં જ શ્રદ્ધાજ્ઞાન-લીનતા વર્તે છે. જ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ આત્માનું ભાન ક્ષણેક્ષણે વર્તી રહ્યું છે તે જ તેની મુક્તિની નિશાની છે. આ રીતે ભેદજ્ઞાન કરીને નિર્વિકલ્પ પ્રતીતિ અને અનુભવની દૃઢતા કરવી તે જ મોક્ષનો સર્વોપરી મુખ્ય ઉપાય છે, ને તે જ ઉપાદેય છે.
પ્રશ્નઃ- ભેદજ્ઞાનનો અભ્યાસ ક્યાં સુધી કરવો ?
ઉત્ત૨:- જ્ઞાનાનંદ સ્વરૂપમાં અંતર્મુખ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યાં સુધી ભેદજ્ઞાનનો પ્રયત્ન કર્યા જ કરવો. ને ભેદજ્ઞાન પછી પણ કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતાનો વારંવાર પ્રયત્ન કર્યા જ કરવો. આ રીતે આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને જાણીને તેમાં લીનતા કરવી તે જ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય છે,—તે એક જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી. હું જ્ઞાનસ્વરૂપી આત્મા છું-એમ નિર્ણય કરીને તેનું જ અવધાન કરવું, તેને જ ધ્યાનમાં ધારવો. એ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરીને તેમાં લીનતા કરતાં મુક્તિ થાય છે. (૯૩-૯૪ )
*
જ્યાં સુખબુદ્ધિ છે ત્યાં જ પરિણામ ઠરે છે. જ્યાં સુખબુદ્ધિ નથી ત્યાં વિરક્ત રહે છે.
*
સુપ્ત વગે૨ે અવસ્થામાં પણ જ્ઞાનીને સ્વરૂપનું સંવેદન કેમ રહ્યા કરે છે? અને બીજે કયાંય તેના પરિણામ કેમ લીન થતાં નથી ?' તે વાત બે શ્લોકમાં સમજાવે છે–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com