________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર: આત્મભાવના હોય, સ્ત્રીના વિયોગથી મૂર્ષિત થઈ જાય-ત્યાં અજ્ઞાનીને એમ લાગે છે કે આની દશા ભ્રમરૂપ છે; પણ ના, તે મૂર્છાદિ વખતેય જ્ઞાની ચિદાનંદસ્વરૂપમાં ભ્રાંતિરહિત જાગૃત જ છે. જ્ઞાનીની અંતરદશાને અજ્ઞાની ઓળખતો નથી. અંતરાત્મા અને બહિરાત્માની ઓળખાણ બાહ્યદૃષ્ટિથી થતી નથી. કોઈ અજ્ઞાની રોગાદિ પ્રતિકૂળતા આવે છતાં ઉંકારો પણ ન કરે, ત્યાં બાહ્યદષ્ટિને તો એમ લાગે કે આ મોટો જ્ઞાની છે! પણ જ્ઞાની કહે છે કે તેની ચેષ્ટા ઉન્મત્ત જેવી છે. અને જ્ઞાનીને રોગાદિ પ્રસંગે કદાચ વેદનાની ભીંસ લાગે ત્યાં બાહ્યદષ્ટિ જીવોને એમ લાગે છે કે આ અજ્ઞાની હશે! પણ તે વેદનાની ભીંસ વખતે (–મોઢામાંથી ઉંકારા થતા હોય તે વખતેય ) અંતરમાં જ્ઞાનસ્વભાવ ઉપર જ જ્ઞાનીની મીટ છે,-જ્ઞાનસ્વરૂપમાં તે નિર્ભત છે; તે દશાને અજ્ઞાની ઓળખી શકતા નથી.
જુઓ, પં. બનારસીદાસજી જ્યારે છેલ્લી સ્થિતિમાં હતા, મરણની તૈયારી હતી ત્યારે ભાષા બંધ થઈ ગઈ હતી, પણ હજી પ્રાણ છૂટતા ન હતા, ત્યારે આસપાસ ઊભેલા લોકોને એમ લાગ્યું કે આનો જીવ ક્યાંક મમતામાં રોકાણો છે, તેથી દેહ છૂટતો નથી. પરંતુ પંડિતજી તો અન્તકાળ નજીક સમજીને પોતાની ભાવનામાં હતા. લોકોની મૂર્ખતા દેખીને તેનું નિરાકરણ કરવા માટે તેમણે ઈશારાથી પાટી–પેન મંગાવ્યાં અને તેમાં લખ્યું કે
ज्ञानकृतक्का हाथ मारी अरि मोहना, प्रगट्यो रूप स्वरूप अनंत सु सोहना। यह पर्ययका अन्त सत्यकर मानना,
चले बनारसीदास फेर नहीं आवना।। ભેદજ્ઞાનરૂપી કટાર હાથમાં લઈને અમે મોહશત્રુને હણી નાખ્યો છે, અનંત સુખથી શોભતું અમારું નિજસ્વરૂપ અમને પ્રગટયું છે; હવે આ શરીરપર્યાયનો એટલે કે ભવભ્રમણનો ચોક્કસ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com