________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૨૮૩ નાખ. આવી દષ્ટિ પલટાવ્યા વગર જે કાંઈ ચેષ્ટા કરવામાં આવે તે બધી જન્મ-મરણનું જ કારણ થાય છે. દેહદૃષ્ટિવાળાને “હું મરી જઈશ” એવો ભય કદી મટતો નથી; આત્મદષ્ટિવાળાને પોતાનું અવિનાશીપણું ભાસ્યું છે એટલે તેને મરણનો ભય રહેતો નથી. તેથી કહ્યું છે કે
અબ હમ અમર ભયે ન મરેંગે..... યા કારન મિથ્યાત દિયો તજ, ફિર કય દેહ ધરેંગે.
અબ હમ અમર ભયે ન મરેંગે. દેહ અને આત્માની એકત્વબુદ્ધિ રાખીને જીવ ગમે તેવા ક્રિયાકાંડ કરે, શુભરાગ કરે, તેનામાં એવી તાકાત નથી આવતી કે મરણનો ભય મટાડે. ભેદજ્ઞાનમાં જ એવી તાકાત છે કે અનંત જન્મ-મરણથી છોડાવે છે ને મૃત્યુનો ભય મટાડે છે. આવું ભેદજ્ઞાન કોઈ બહારની ક્રિયાના આશ્રયે કે રાગના આશ્રયે થતું નથી, ચૈતન્યના સ્વસંવેદનના અભ્યાસવડે જ આવું અપૂર્વ ભેદજ્ઞાન થાય છે.
અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં તો “ભવકટ્ટી” થઈ ગઈ. જેમ બે છોકરાને ન ભળે તો “કટ્ટી” કરીને મિત્રતા છોડી દે છે, તેમ બાલબુદ્ધિથી દેહ અને આત્માને એક માનીને, દેહની સાથે મિત્રતા કરી કરીને, દેહના સંગે જીવ ચારગતિમાં રખડયો, પણ હવે ભિન્નતાનું ભાન થતાં દેહ સાથેની મિત્રતા છોડી ને તેની કટ્ટી કરી, એટલે ભવ સાથે કટ્ટી થઈ ને મોક્ષ સાથે મિત્રતા થઈ. તે અલ્પકાળમાં મોક્ષ પામશે.
અજ્ઞાની તો શરીરની હયાતીને જ પોતાની હયાતી માને છે, શરીરના વિયોગને પોતાનું મરણ માને છે; શરીરની ક્રિયાને પોતાની ક્રિયા માને છે, પણ પોતાની જ્ઞાનક્રિયાને જાણતો નથી. ભાઈ, તું ચેતન શરીર જડ; તારી ક્રિયા જ્ઞાનમય, શરીરની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com