________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૮૧ પૂર્વક આચાર્યદવ કહે છે કે
सव्वेवि य अरहंता तेण विहाणेण खविद कम्मसा। किच्चा तथोवदेसं णिव्वादा ते णमो तेसिं।। અહિત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા; નમું તેમને.
જુઓ, આ ભગવાનનો ઉપદેશ !! સ્વસમ્મુખ થઈને પુરુષાર્થ કરવાનો ભગવાનનો ઉપદેશ છે. અહો, ભગવંતો! આપ સ્વાશ્રયના પુરુષાર્થ વડે મુક્તિ પામ્યા અને દિવ્યધ્વનિમાં પણ આપે સ્વાશ્રયના પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે. અહો, નાથ ! સ્વાશ્રયનો આપનો ઉપદેશ અમને મળ્યો, આપને નમસ્કાર હો ! આપના માર્ગે અમે પણ ચાલ્યા આવીએ છીએ.
પરમાર્થે તો આત્મા પોતે પોતાના સ્વાશ્રયથી જ મુક્તિ પામે છે તેથી પોતે જ પોતાનો દેવ ને પોતે જ પોતાનો ગુરુ છે, અને જેમણે સ્વાશ્રયનો ઉપદેશ આપ્યો એવા સર્વજ્ઞદેવ તથા જ્ઞાનગુરુઓ તે વ્યવહારથી દેવગુરુ છે, એટલે તેમના પ્રત્યે વિનય-બહુમાન કરે છે. આ રીતે સ્વાશ્રયનો પ્રયત્ન કરનાર જીવ નિમિત્તરૂપ દેવ-ગુરુ વગેરેનો પણ જેમ છે તેમ વિવેક કરે છે. પરંતુ બંધમાં કે મોક્ષમાં આત્મા પોતે જ પોતાને પરિણાવે છે, બીજો કોઈ તેના બંધ-મોક્ષનો કર્તા નથી. (૭૫)
તેને જ મરણનો ભય છે-જેને દેહબુદ્ધિ છે
દેહમાં આત્મબુદ્ધિથી જીવ પોતાને ભવસમુદ્રમાં રખડાવે છે, ને દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માને જાણીને આત્મામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com