________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૪૩ જેમ વસ્ત્ર જાદુ છે તેમ દેહ પણ જાદો છે
શરીરાદિ સાથે એકતાની બુદ્ધિ તે સંસારનું કારણ છે, ને શરીરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે મોક્ષનું કારણ છેએમ કહ્યું. હવે, ધર્માત્માને શરીરથી ભિન્ન આત્માનું ભેદજ્ઞાન કેવું હોય તે દષ્ટાંતથી સમજાવે છે; જેમ શરીર અને વસ્ત્ર બન્ને જાદા છે, તેમ આત્મા અને શરીર બન્ને જાદાં છે; ધર્મીને વસ્ત્રની માફક આ શરીર પોતાથી પ્રગટ ભિન્ન ભાસે છે.-તે વાત ચાર ગાથાદ્વારા બહુ સરળ રીતે સમજાવે છે
धनेवस्त्रे यथात्मानं न धन मन्यते तथा। धने स्वदेहेपयात्मानं न धनं मन्यते बुधः।। ६३।।
જેમ લૌકિકમાં માણસો મોટું જાડું વસ્ત્ર પહેર્યું હોય ત્યાં પોતાને તે જાડાવસ્ત્રરૂપ નથી માનતા; તેમ આત્મા ઉપર આ શરીરરૂપી વસ્ત્ર છે, તે જાડા શરીરથી બુધપુરુષો પોતાને તે શરીરરૂપ -પુષ્ટ નથી માનતા. જેમ જાડા વસ્ત્રથી કાંઈ શરીરની પુષ્ટિ નથી, તેમ પુષ્ટ શરીરથી કાંઈ આત્માની પુષ્ટિ નથી.-આ રીતે જ્ઞાની પ્રગટપણે પોતાના આત્માને દેહથી તદ્દન ભિન્ન દેખે છે. આત્માનું શરીર તો જ્ઞાન આનંદમય છે, આ જડ શરીર આત્માનું નથી. શરીર અને વસ્ત્ર તો બન્ને જડ છે, અને અહીં શરીર અને આત્મા તો બન્નેની જાત જ જુદી છે, આત્મા તો ચૈતન્યમૂર્તિ, ને શરીર તો અચેતનમૂર્તિ, એમ બન્નેનો સ્વભાવ જ જુદો છે. વસ્ત્રના પરમાણુ તો પલટીને કદી શરીરરૂપ થાય પણ ખરા, પરંતુ શરીર પલટીને કદી આત્મારૂપ થાય નહિ, ને આત્મા કદી શરીરરૂપ જડ થાય નહિ બન્નેની જાત જ અત્યંત જાદી છે. જ્ઞાની તો પોતાના આત્માને ચેતનપણે જ દેખે છે, જડશરીરને કદી પોતાપણે દેખતા નથી. જુઓ, તદ્દન સહેલું દષ્ટાંત આપીને દેહ અને આત્માનું ભિન્નપણું સમજાવ્યું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com