________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૫ અને સકલ એટલે શરીર સહિત છે. આવા અરિહંત પરમાત્માને નમસ્કાર હો.
તેઓ દિવ્ય ભારતી વડે હિતના ઉપદેષ્ટા છે. ભગવાનની ભારતી કેવી છે?-સર્વે જીવોને હિતરૂપ છે, વર્ણ સહિત નથી એટલે કે નિરક્ષરી છે, જેમાં બે હોઠ ચાલતા નથી, વાંછારૂપી કલંક નથી, કોઈ દોષરૂપ મલિનતા નથી, શ્વાસના રૂંધન રહિત હોવાથી જેમાં ક્રમ નથી; શાંતમૂર્તિ ઋષિવરોની સાથે સાથે પશુગણોએ પણ પોતપોતાની ભાષામાં જેનું શ્રવણ કર્યું છે, એવી સર્વશદેવની અપૂર્વવાણી અમારી રક્ષા કરો ને વિપદા હરો. એવી અપૂર્વવાણીવાળા અરિહંતદેવને નમસ્કાર હો.
| સર્વજ્ઞ ભગવાન શરીર સહિત ોવા છતાં આહારાદિ દોષથી રહિત છે. આત્માના અનંત આનંદનો ભોગવટો પ્રગટી ગયો છે ત્યાં સુધાદિ દોષ હોતા નથી ને આહારાદિ પણ હોતા નથી. ભગવાનને રાગદ્વષાદિ દોષો પણ નથી. આ સિવાય અન્ય કુદેવ તો રાગાદિ સહિત છે, સુધાદિ દોષ સહિત છે, એટલે તે આત્માના ઈષ્ટ નથી. અતીન્દ્રિય આનંદ સહિત એવું સર્વજ્ઞપદ જ આત્માનું પરમ ઈષ્ટ છે તેથી તેની ઓળખાણપૂર્વક તેનો આદર કરી તેને નમસ્કાર કરીએ છીએ.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ આત્માના હિતનું કારણ છે. સંગથી પાર થઈને આત્માના સ્વભાવ સન્મુખ થા, તે જ હિતનો ઉપાય છે, -એમ ભગવાનનો ઉપદેશ છે. અરિહંત ભગવાન જ સર્વજ્ઞહિતોપદેશી છે, તે જ ઇષ્ટદેવ છે. આ સિવાય બુદ્ધ વગેરે તો વસ્તુસ્વરૂપને નહિ જાણનારા અબુદ્ધ છે, તેઓ હિતોપદેશી નથી. આત્માના હિતનો વાસ્તવિક ઉપાય શું છે તે જેણે પોતે જ જાણ્યો નથી, તે હિતોપદેશી ક્યાંથી હોય? જગતમાં તો અજ્ઞાની જીવોનો મોટો ભાગ એવા કુદેવાદિને માને છે, પણ તે કોઈ આત્માના હિતોપદેશક નથી. સર્વજ્ઞ-વીતરાગ-અરિહંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com