________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૧૧
બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
જેને આત્માનો અનુભવ કરવો છે તેણે તો બીજે બધેથી પરિણામ પાછા ખેંચીને વારંવાર આત્મસ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. તેની જ કથા કરવી, સંતો પાસે તે જ પૂછવું, તેની જ ઈચ્છા-ભાવના કરવી અને તેમાં જ તત્પર થવું, તેમાં જ ઉત્સાહિત થવું. જ્ઞાનમાં-શ્રદ્ધામાં ઉત્સાહમાં વિચારમાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો...તેને જ આદરવો.-આમ કરવાથી પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે, ને આનંદમય સ્વાનુભવ થાય છે.
‘યોગસાર ’અ. ૬ શ્લોક ૪૯માં પણ કહે છે કે-વિદ્વાન પુરુષોએ એટલે કે આત્માના અર્થી મુમુક્ષુ જીવોએ ચૈતન્યસ્વરૂપ આત્મા નિશ્ચલમનથી પઢવાયોગ્ય છે-૧, ધ્યાન કરવા યોગ્ય છે-૨, આરાધવા યોગ્ય છે-૩, પૂછવા યોગ્ય છે-૪, સુણવાયોગ્ય છે-૫, અભ્યાસવાયોગ્ય છે-૬, ઉપાર્જન કરવાયોગ્ય છે-૭, જાણવાયોગ્ય છે–૮, કહેવા યોગ્ય છે-૯, પ્રાર્થવાયોગ્ય છે-૧૦, શિક્ષા-ઉપદેશયોગ્ય છે–૧૧, દર્શનયોગ્ય છે–૧૨, અને સ્પર્શન (અનુભવન ) યોગ્ય છે– ૧૩; આમ તેર બોલથી એટલે કે સર્વપ્રકારે આત્મસ્વરૂપની ભાવના કરવા યોગ્ય છે, કે જેથી આત્મા સદાય પોતાના સ્વરૂપમાં સ્થિરતાને પામે.
નિર્જરાઅધિકારમાં આ શ્લોક મૂકીને એમ કહ્યું કે આવા આત્મસ્વરૂપની ભાવના તે જ નિર્જરાનો શ્રેષ્ઠ ઉપાય છે. આમ સર્વ પ્રકારથી આત્મસ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે, ને અવિધાનો નાશ થઈ જાય છે. અહીં તો અભ્યાસ, શ્રવણ, તત્પરતા, આરાધના, વાંચવું, પૂછવું, દેખવું, જાણવું-ઇત્યાદિ ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે ખરા જિજ્ઞાસુને આત્મસ્વરૂપના અનુભવની ઝંખના ને ધગશ કેટલી ઉગ્ર હોય! પોતાના પરિણામને બીજે બધેથી પાછા વાળીવાળીને સર્વે પ્રકા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com