________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૩
V
VVVA
1. સ.મ.ગે.
ક્ષ મા ગં.
T
*
*
*
*
'મે
અને તે વાણી જીવોને તીર્થ એટલે મોક્ષમાર્ગ બતાવનારી હોવાથી તેને તીર્થ પણ કહેવાય છે. ભગવાનને ઇચ્છા ન હોવા છતાં તેમનો દિવ્ય ધ્વનિ સર્વીગેથી છૂટે છે અને તેઓ સમવસરણાદિ વૈભવ સહિત છે, તથા તીર્થના કર્તા છે. અરિહંત ભગવાન શરીરસહિત હોય છે તેથી તે સકલ-પરમાત્મા છે, ને શરીરરહિત સિદ્ધ પરમાત્મા તે નિકલ-પરમાત્મા છે. (કલ એટલે શરીર)
અરિહંત ભગવાનનું શરીર મહાસુંદર પરમ ઔદારિક હોય છે, -તેમાં જનારને પોતાના આગલા-પાછલા સાત ભવ દેખાય છે. (ભવિષ્યના ભવ જેને હોય તેને દેખાય.) ભગવાનના સમવસરણનો વૈભવ અને શોભા અચિંત્ય હોય છે; ઉપર ત્રણ છત્ર ફરતાં હોય છે, મોતીનાં બનેલાં ઉત્કૃષ્ટ છત્ર હોય છે, તેમજ ભામંડળ વગેરે હોય છે. આ રીતે દિવ્યવાણી અને છત્રાદિ વૈભવસહિત જેઓ જયવંત વર્તે છે એવા અરિહંતદેવને નમસ્કાર હો.
તે અરિહંતદેવ કેવા છે? શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલ આત્મા છે; કઈ રીતે? તે કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com