________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : આત્મભાવના તે મોક્ષનો ઉપાય છે અને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદરૂપ દશા પ્રગટે તે મોક્ષ છે.
સિદ્ધના સ્વરૂપને જાણતાં આત્મા આત્મારૂપે જણાય છે;-કેવો આત્મા? કર્મ, શરીર કે કર્મની ઉપાધિથી થયેલા વિભાવભાવો તે બધાથી રહિત જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા છે તે જ હું છું-એમ આત્મા આત્માપણે જણાય છે. રાગાદિ વિભાવ કે નર-નારકાદિ વિભાવપર્યાયો તે આત્માનો સ્વભાવ નથી પણ આત્માના સ્વરૂપથી ભિન્ન છે, કેમકે સિદ્ધભગવાનને તે નથી. આમ સિદ્ધભગવાનને જાણતાં આત્માનું સ્વરૂપ જણાય છે, ને શરીરાદિ પરરૂપે જણાય છે. વિકાર તે જીવની પર્યાય હોવા છતાં, સિદ્ધના આત્મામાં તે નથી તેથી તે પર છે, જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો અનંત જ્ઞાનદર્શન-સુખ ને વીર્ય સંપન્ન છે. આવા જિન સ્વરૂપને જાણતાં તેના આશ્રયે મોક્ષમાર્ગ તથા મોક્ષ પ્રગટે છે.
જે સિદ્ધભગવાનમાં હોય તે સ્વ; જે સિદ્ધભગવાનમાં ન હોય તે પ૨.
વીર;
is
fit,
'
'1'' ૨૪ /
-જે મોક્ષનો અભિલાષી હોય તે જીવ સિદ્ધભગવાનને પોતાના ધ્યેયરૂપે રાખીને આ પ્રમાણે સ્વ-પરનું ભેદવિજ્ઞાન કરે છે.
હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, જ્ઞાન ને આનંદ જ મારું સ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com