________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૦૩ સમાધિ માટે નિર્વિકલ્પતત્વની ભાવના
બાહ્ય વિકલ્પ છોડીને, અંતરનો વિકલ્પ પણ છોડવા માટે ધર્મે વિચારે છે કે
यत्परे: प्रतिपाधोऽहं यत्परान् प्रतिपादये।
उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः।।१९।। હું ઉપાધ્યાયાદિ પરવડે પ્રતિપાદ્ય થાઉં એટલે કે બીજા વડે હું સમજું, કે હું બીજાને પ્રતિપાદન કરીને સમજાવું,આવો જે વિકલ્પ છે તે મારી ઉન્મત્ત ચેષ્ટ છે, કેમકે ખરેખર હું નિર્વિકલ્પ છું; વિકલ્પવડે કે વચનવડે ગ્રાહ્ય થાય એવું મારું સ્વરૂપ નથી.-આ રીતે જ્ઞાની અંતરંગ વિકલ્પોને પણ છોડીને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં કરવા માંગે છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે પોતાથી જ સ્વસંવેદ્ય છે; તે પોતાની જાગૃતિ વગર બીજા કોઈથી સમજે એવો નથી. માટે જ્ઞાતાસ્વભાવથી બહાર વૃત્તિ જાય ને બીજા પાસેથી સમજવાની કે બીજાને સમજાવવાની વૃત્તિ ધર્મીને ઊઠે તે પણ મોહની ચેષ્ટા હોવાથી તેને અહીં ઉન્મત્ત ચેષ્ટા કહી છે. “ઉન્મત્ત ચેષ્ટા' નો અર્થ એમ ન સમજવો કે જે ઉપદેશ કરે તે બધા અજ્ઞાની છે.—ઉપદેશની વૃત્તિ તો જ્ઞાનીને આવે; પણ ઉપદેશમાં ભેદથી પ્રતિપાદન થાય છે; તે ભેદદ્વારા અભેદ આત્માનું ગ્રહણ થતું નથી માટે ભેદની વૃત્તિ ઊઠે તે ઉન્મત્ત ચેષ્ટા છે એટલે કે મોહનો ઉન્માદ છે; તે મારા જ્ઞાનનું સ્વરૂપ નથી. મારા આત્માનું સ્વરૂપ તો નિર્વિકલ્પ-અતીન્દ્રિયજ્ઞાનથી ગ્રાહ્ય છે, વિકલ્પથી ગ્રાહ્ય નથી.-એમ જે નથી જાણતો, ને બીજાના શબ્દોથી હું સમજી જાઉં કે હું વિકલ્પવડે બીજાને સમજાવી દઉં-એમ માને છે તેને તો મિથ્યાત્વનો મોટો ઉન્માદ છે. ધર્મી જાણે છે કે વાણીથી કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com