________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
કર્તાકર્મક્રિયા - અધિકા૨વર્ણન
જે વસ્તુથી પરિણામ-પ્રવાહ પ્રવર્યા કરે તે વસ્તુને પ્રવાહનો કર્તા કહેવામાં આવે છે. વળી તે વસ્તુના તે પરિણામપ્રવાહને કર્મસંજ્ઞાથી કહેવામાં આવે છે. તે પરિણામપ્રવાહમાં પૂર્વ પરિણામનો ક્ષય, ઉત્તર પરિણામનું ઊપજવું તેને ક્રિયા કહેવામાં આવે છે. પરંતુ “ કર્તા-કર્મ-ક્રિયા એ ત્રણે એક વસ્તુના હોય છે. વસ્તુત્વમાં (વસ્તુની અંદર) કાંઈ ભેદ નથી.” જેમ કે માટી કર્તા, ઘડો, કર્મ, અને પિંડનો આકાર મટયે ઘટાકાર થાય તે ક્રિયા, એ રીતે એક મોટી વસ્તુમાં આ ત્રણ ભાવોનો વિકલ્પ (ભેદ) કરવામાં આવે છે. પરંતુ કર્તા-કર્મ-ક્રિયા એ ત્રણેય માટીના જ છે, એક માટીથી જાદા નથી. એ ત્રણેય ભેદોમાં માટી એક જ છે, ત્રણેય માટીથી ઊપજ્યાં છે. “તેવી રીતે ચેતનવસ્તુના ત્રણેય ચેતન જ હોય છે, અચેતનવસ્તુના ત્રણેય અચેતન જ હોય છે. પોતપોતાની વસ્તુમાં એ ત્રણેય વ્યાપ્ય-વ્યાપક હોય છે; પરની સત્તામાં વ્યાપ્યવ્યાપક કોઈ હોતું નથી, એવી સદાની મર્યાદા છે.”
એક કર્તાના ચેતન-અચેતનરૂપ બે કર્મ ન હોય, એક કર્મના ચેતનઅચેતનરૂપ બે કર્તા ન હોય. એક કર્તાની ચેતન-અચેતનરૂપ બે ક્રિયા ન હોય. એક ક્રિયાના ચેતન-અચેતનરૂપ બે કર્તા ન હોય. એક કર્મની બે ક્રિયા ન હોય. એક ક્રિયાના બે કર્મ ન હોય, એક કર્તાના ચેતનકર્મ, અચેતનક્રિયા ન હોય, (એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com