________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫
મિશ્રધર્મકથન ત્યારે અહીં તો, પુદ્ગલ જીવનું વેરી થયું, આ ત્રીજાં દૂષણ.
વળી જો કોઈ આ પ્રમાણે કહે કે જીવ તો વિકારરૂપે પરિણમતો નથી, એમ તો કદી થવાનું નથી. કારણ કે :- જો પુદ્ગલ વિકારરૂપે પરિણમે છે તો પરિણામો, પરંતુ (ત્યાં) જીવને તો સંસારમુક્તિ થવાનું તો ન આવ્યું, જ્ઞાની-અજ્ઞાનીથી કોઈ અન્ય દશા ઠરી. તે અન્ય દશા તો દેખવામાં આવતી નથી. વળી જીવના પરિણામ સંસારમોક્ષરૂપે થતાં પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી વિકાર તો જીવનો ઠર્યો.
હવે જો કોઈ એમ કહે કે જીવ પોતે ચિત્ વિકારરૂપ પરિણમતો નથી પરંતુ તે પુદ્ગલ સાથે વ્યાપ્ય-વ્યાપક થઈને પરિણમે છે, તો એમ તો નથી; કેમ કે કોઈ દ્રવ્ય, કોઈ દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપક થતું નથી. જો થાય, તો ચેતન દ્રવ્યનો નાશ થઈ જાય. એતદ્ અર્થ (કહેવાનો આ ભાવ છે).
વળી જો કોઈ આમ કહે કે જીવ ચિત્વિકારરૂપ પરિણમે છે, તે પુદ્ગલકર્મત્વ વિકારના થવાના કારણે જ, તો એમ તો નથી. કારણ કે
કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વેરી નથી.” એ પ્રમાણે નિષેધ. (એ પ્રમાણે એ વાતનો પણ અહીં નિષેધ થયો.)
વળી જો કોઈ એમ કહે કે-જીવ, પુદ્ગલ, બન્ને મળીને એક અશુદ્ધ વિકારપરિણતિ ઉપજી છે, તો એમ તો નથી. કારણ કે “બે દ્રવ્યો મળીને એક પરિણતિરૂપ થતાં નથી.” એમ માનવાથી બે દ્રવ્યમાંથી કોઈ (એક) દ્રવ્ય નિઃપરિણામી થાય છે પરંતુ અહીં તો સર્વ દ્રવ્ય નિજ પરિણામી છે. ચેતનના ચેતન પરિણામ, અચેતનના અચેતન પરિણામ છે. એવમ્ નિષેધ. (એ પ્રમાણે બન્ને મળીને એક અશુદ્ધ પરિણતિ થવાનો નિષેધ થયો)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com