________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય લક્ષણ ચકારથી બીજા પણ નિશ્ચયભાવ જાણવા. જેટલી નિજવસ્તુની પરિમિતિ ( સીમા, મર્યાદા) તેટલી જ પરિમિતિમાં દ્રવ્ય, ગુણ, પર્યાય વ્યાપ્યવ્યાપક થઈને વર્તે છે, તે વસ્તુ પરિમિતિથી બહાર વ્યાપ્યવ્યાપક નથી હોતું, પોતપોતાની સત્તામાં વ્યાપ્યવ્યાપક થઈને અનાદિઅનંત રહે છે, આને પણ નિશ્ચય કહેવામાં આવે છે. વળી જે ભાવ જે ભાવનો પ્રતિપક્ષી–વેરી (વિરોધી છે તેની સાથે તે વેર (વિરોધ) કરે, બીજા સાથે ન કરે તેને પણ નિશ્ચય જાણવો. જે પ્રતિજ્ઞા કરવામાં આવે છેનિયમ કરવામાં આવે છે તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે. વળી જે કાલે જેવું, જે થવાનું હોય તેવું જ થાય, તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે. વળી જે જે ભાવની જેવી કેવી રીતિથી પ્રવર્તવું છે તેવી તેવી રીતિ પામીને પરિણમે તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે. વળી એક પોતાને-સ્વદ્રવ્યને –પણ નિશ્ચય કહેવામાં આવે છે.
વળી એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય લઈએ ત્યારે જે અન્ય સર્વ અનંત નિજ ગુણરૂપ છે તે એ ગુણરૂપના ભાવ થાય છે.
૧. નં 1 મિસે ને વિદાળખ નમિ નિશ્મિા
णादं जिणेण णियदं जम्मं वा अहम मरणं वा।। ३२१ ।। तं तस्स तम्मि देसे तेण विहाणेण तम्मि कालम्मि। છે સ વાતેવું કુંવો વા વદ નિËિવો વા રૂરરા
ભાવાર્થ - સર્વજ્ઞદવે જે દેશમાં, જે કાલમાં, જે વિધાનથી જીવનાં જન્મ તથા મરણ ઉપલક્ષણ થી દુઃખ, સુખ, રોગ દરિદ્રાદિ જાણ્યાં છે કે આવું જ નિયમથી થશે, તે જ પ્રકારે, તે પ્રાણીને, તે જ દેશમાં,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com