________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૧
' } #ાગ્રુષ્ટિ ?!!!!ા ાિરો ૧Jાદિ કાર ? |
વળી સમ્યગ્દષ્ટિ જીવના સ્વસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવમાં બુદ્ધિપરિણતિમાં એક પરમાણુ પણ રાગાદિ વિકાર નથી. અને સામાન્યપણે સમ્યગ્દષ્ટિ, જ્ઞાનીને, ચારિત્રી એ રીતે કહેવું થયું. (તેને) મુખ્યરૂપે નિબંધ, નિરાશ્રવ, નિષ્પરિગ્રહ, શુદ્ધ, ભિન્ન, પરમાણુમાત્ર રાગાદિ રહિત કહેવામાં આવે છે. (તથા તે સમ્યગ્દષ્ટિ જીવને ) શુદ્ધ, બુદ્ધ, કહેવામાં આવે છે, (તેને) વિકારનું હોવું ઠરતું નથી. શા કારણે ? કેમકે, જેમકે સામાન્યપણે સર્વચેતનદ્રવ્ય વંદનીક જ ઠરે, કોઈ નિંદિત ન ઠરે. વળી જ્યારે વિશેષભેદ કરવામાં આવે ત્યારે જ્ઞાનદર્શનચારિત્ર (આદિ) ના જઘન્યપણાથી સમ્યગ્દષ્ટિને કથંચિત અબુદ્ધિરૂપ આશ્રવ, બંધ, સરાગાદિ વિકારમિશ્રિત જીવદ્રવ્ય કહેવામાં આવે છે. વળી જ્ઞાનદર્શનચારિત્રના ઉત્કૃષ્ટપણાથી સમ્યગ્દષ્ટિને સર્વથા પ્રકારે સાક્ષાત નિબંધ, નિરાશ્રય, વીતરાગી, નિષ્પરિગ્રહી જીવદ્રવ્ય કહેવામાં આવે છે. જેવી રીતે અડીને (આંગળીથી દબાવીને) કેરીનો ભેદથી (વિશેષરૂપથી) નિર્ણય કરવામાં આવે ત્યારે કોઈ કેરી કોઈ અંગથી કાચી હોવાથી મિશ્રિત પણ કહેવામાં આવે છે અને સામાન્યથી નિસ્યદેહુ તે જ કરી સર્વથા પાકી કહેવામાં આવે છે.
|ઇતિ સમ્યગ્દષ્ટિ સામાન્ય વિશેષાધિકાર ||
Please inform us of any errors on rajesh@AtmaDharma.com