________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
અન્તર્વ્યવસ્થા કથન છે.
કર્માનુભવથી જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓનો ભેદભાવ થવો, તેમનું જુદું થવું, જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓનું સ્વરૂપમાં આવવું, વળી ત્રણેય શક્તિઓના વિકારરૂપનો નાશ થવો, જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓની નિશ્ચય પરિણતિ થવી, જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓની શુદ્ધતાની ઉત્કૃષ્ટ વૃદ્ધિ થવી, જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓની અશુદ્ધતાની હાનિ થવી, જ્ઞાનગુણની શક્તિઓનું એક આકારરૂપે (એક સાકારરૂપે) “જાણવું” સમ્યગૂ થવું, દર્શનગુણની શક્તિઓનું એક અનાકાર જાણવારૂપે (અનાકાર દેખવારૂપે) સમ્યગુ થવું, ચારિત્રગુણની શક્તિઓનું એક સ્વવસ્તુસ્વરૂપમાં “આચરણ સ્થિરતા-વિશ્રામરૂપે સમ્યગૂ થવું ઇત્યાદિ જીવના સર્વ ભાવોનો આરંભ ચોથા ગુણસ્થાનથી થાય છે અને બારમા ગુણસ્થાનના અંત સુધીમાં સંપૂર્ણ ભાવ થઈ રહે છે.
નિસંદેહ જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણનો જઘન્યભાવ, જ્ઞાનદર્શનચારિત્રાદિની શક્તિઓનો સાક્ષાત્ ક્ષયોપશમ થવારૂપ ભાવ, અંતરાત્મભાવ, સવિકલ્પભાવ સ્વરૂપશક્તિરૂપ પરિણામથી અને વિકારશક્તિરૂપ પરિણામથી જીવદ્રવ્યનો મિશ્રભાવ ઇત્યાદિ ભાવારૂપે જીવ ચોથા ગુણસ્થાનથી માંડી બારમાં ગુણસ્થાન સુધી રહે છે.
ચોથા ગુણસ્થાનથી જ્યારે ચારિત્રગુણની બુદ્ધિરૂપ જે જે શક્તિ રાગદ્વેષવિકારથી નિવર્તી નિવર્તી કેવલ સાક્ષાત્ નિજસ્વરૂપ થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com