________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૨સૂત્ર પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
(દોહા) વીર જિનેશ્વ૨કો નમું ગૌતમ ગણધર લા૨ો કાલ પંચમાં આદિમૈ ભએ સૂત્ર કરતારના ૧ાા
આ પ્રકારે મંગલ કરી શ્રી કુન્દકુન્દાચાર્ય કૃત પ્રાકૃતગાથાબદ્ધ સૂત્રપાહુડની દેશભાષામય વચનિકા લખીએ છીએ:
પ્રથમ જ શ્રી કુન્દકુન્દાચાર્ય મહિમાગર્ભિત સૂત્રનું સ્વરૂપ બતાવે છે:
अरहंतभासियत्थं गणहरदेवेहिं गंथियं सम्म। सुत्तत्थमग्गणत्थं सवणा साहंति परमत्थं ।।१।।
अर्हभ्दाषितार्थं गणधरदेवैः ग्रथितं सम्यक् । सूत्रार्थमार्गणार्थ श्रमणाः साध्यंति परमार्थम्।।१।।
અહંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે; "સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧
અર્થ - જે ગણધરદેવોએ સમ્યક પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત રચના કરી તે સૂત્ર છે. તે સૂત્ર કેવું છે? સૂત્રનો જે કંઈ અર્થ છે તેને “માર્ગણ અર્થાત” શોધવા-જાણવાનું જેમાં પ્રયોજન છે અને એવા જ સૂત્ર દ્વારા શ્રમણ (મુનિ) પરમાર્થ અર્થાત્ ઉત્કૃષ્ટ અર્થ-પ્રયોજન જે
અવિનાશી મોક્ષ છે તેને સાધે છે. અહીં ગાથામાં “સૂત્ર” આ પ્રકારે વિશેષ્ય પદ નથી કહ્યું તો પણ વિશેષણોના સામર્થ્યથી લીધું છે.
ભાવાર્થ- જે અરહંત, સર્વજ્ઞ દ્વારા કહેલું છે તથા ગણધરદેવોએ અક્ષર-પદ-વાકયમય ગૂંથ્યા છે અને સૂત્રના અર્થને જાણવાનું જ જેમાં અર્થ-પ્રયોજન છે એવા સૂત્રથી મુનિ પરમાર્થ જે મોક્ષ તેને સાધે છે. બીજા જે અક્ષપાદ, જૈમિનિ, કપિલ, સુગત વગેરે છદ્મસ્થો દ્વારા રચાયેલાં કલ્પિત સૂત્રો છે, તેનાથી પરમાર્થની સિદ્ધિ નથી. આ પ્રકારે આશય જાણવો. ૧
૧. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ, ૨. શોધન = શોધવું-ખોજવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com