________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૩૫
અર્થ:- જે બાર પ્રકારનાં તપથી સંયુક્ત થયા થકાં વિધિના બળથી પોતાના કર્મોને નષ્ટ કરી ‘વોટ વેત્ત વેT' અર્થાત્ જેમણે જુદો કરીને છોડી દીધો છે દેહ એવા થઈને તેઓ અનુત્તર અર્થાત્ હવે જેનાથી આગળ અન્ય અવસ્થા (જન્મ) નથી એવી નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત થાય
છે.
ભાવાર્થ- જે તપ દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જ્યાં સુધી વિહાર કરે ત્યાં સુધી અવસ્થાન રહે. પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની સામગ્રીરૂપ વિધિના બળથી કર્મનષ્ટ કરી વ્યુત્સર્ગદ્વારા શરીરનો ત્યાગ કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. અહીં આશય એમ છે કે, જ્યારે નિર્વાણ પામે છે ત્યારે લોકશિખર પર જઈને વિરાજે છે. ત્યાં ગમનમાં એક સમય લાગે છે. તે વખતે જંગમ પ્રતિમા કહેવાય છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. આ પાહુડમાં સમ્યગ્દર્શનના પ્રધાનપણાનું વ્યાખ્યાન કર્યું છે. ૩
સવૈયા છન્દ
મોક્ષ ઉપાય કહ્યો જિનરાજ જુ સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્રા તામધિ સમ્યગ્દર્શન મુખ્ય ભયે નિજ બોધ ફર્લ સુચરિત્રાના
જે નર આગમ જાનિ કરે પહચાનિ યથાવત મિત્રા ઘાતિ ક્ષિપાય રુ કેવલ પાય અઘાતિ હુને લહિ મોક્ષ પવિત્રાણા ૧ાા
દોહા
નમ્ દેવ ગુરુ ધર્મકું, જિન આગમ માનિા જા પ્રસાદ પાયો અમલ, સમ્યગ્દર્શન જાનિતા ૨ાા
શ્રી કુન્દકુન્દસ્વામી વિરચિત અષ્ટપાહુડમાં પ્રથમ દર્શન પાહુડની પંડિત જયચન્દ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com