________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ )
છે. તેમના સમવસરણાદિ વિભૂતિ રચીને ઇન્દ્રાદિ ભક્તજન મહિમા કરે છે. એમને કંઈ પ્રયોજન નથી, પોતે દિગમ્બરત્વને ધારણ કરી અંતરીક્ષ બિરાજે છે એમ જાણવું. ૨૯
હવે મોક્ષ શેનાથી થાય છે તે કહે છેઃ
णाणेण दंसणेण व तवेण चरियेण संजमगुणेण । चउहिं पि समाजोगे मोक्खो जिणसासणे दिट्ठो ।। ३० ।।
ज्ञानेन दर्शनेन च तपसा चारित्रेण संयमगुणेन । चतुर्णामपि समायोगे मोक्षः जिनशासने दृष्टः ।। ३० ।।
સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચ૨ણ-તપ છે ચા૨ જે એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦
અર્થ:- જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી-આ ચારેનો સમાયોગ થવાથી જે સંયમગુણ હોય તેનાથી જિનશાસનમાં મોક્ષ થવાનું કહ્યું છે.
હવે આ જ્ઞાનાદિને દિને ઉત્તરોત્ત૨ સા૨૫ણું કહે છેઃ
गाणं णरस्स सारो सारो वि णरस्स होइ सम्मत्तं । सम्मत्ताओ चरणं चरणाओ होइ णिव्वाणं ।। ३१ । ।
ज्ञानं नरस्य सारः सारः अपि नरस्य भवति सम्यक्त्वम् । सम्यक्त्वात् चरणं चरणात् भवति निर्वाणम् ।। ३१ ।।
રે ! જ્ઞાન ન૨ને સા૨ છે, સમ્યક્ત્વ નરને સાર છે; સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧
૩૧
અર્થ:- પ્રથમ તો આ પુરુષને માટે જ્ઞાન સાર છે, કેમકે જ્ઞાનથી બધું હૈય-ઉપાદેય જાણવામાં આવે છે. પછી તે પુરુષને માટે સમ્યક્ત્વ નિશ્ચયથી સાર છે, કેમકે સમ્યક્ત્વ વિના જ્ઞાન મિથ્યા નામ પામે છે, સમ્યક્ત્વથી ચારિત્ર થાય છે, કેમકે સમ્યક્ત્વ વિના ચારિત્ર પણ મિથ્યા જ છે, ચારિત્રથી નિર્વાણ થાય છે.
ભાવાર્થ:- ચારિત્રથી નિર્વાણ હોય છે અને ચારિત્ર જ્ઞાનપૂર્વક સત્યાર્થ હોય છે તથા જ્ઞાન સમ્યક્ત્વપૂર્વક સત્યાર્થ હોય છે. આ પ્રકારે વિચાર કરવાથી સમ્યક્ત્વને સારપણું આવ્યું. માટે પ્રથમ તે સમ્યક્ત્વ સાર છે, પછી જ્ઞાન-ચારિત્ર સાર છે. પહેલાં જ્ઞાનથી પદાર્થોને જાણે છે તેથી પહેલાં જ્ઞાન સાર છે તો પણ સમ્યક્ત્વ વિના તેનું પણ સારપણું નથી એમ જાણવું.
હવે આ જ અર્થને દઢ કરે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com