________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનપાહુડ)
૧૯
આગળ કહે છે કે જે યથાર્થ દર્શનથી ભ્રષ્ટ છે અને દર્શનના ધારણ કરનારાઓથી પોતાનો વિનય કરાવવા ઇચ્છે છે તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે -
जे दंसणेसु भट्ठा पाए पाडंति दसणधराणं। ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं।।१२।।
वे दर्शनेषु भ्रष्टाः पादयोः पातयंति दर्शनधरान्। તે મયંતિ 77મૂT: વોfધ: પુન: કુર્તમાં તેષામના ૨૨ ના
દભ્રષ્ટ જે નિજ પાય પાડે દષ્ટિના ધરનારને, તે થાય મૂંગા, ખંડભાષી, બોધ દુર્લભ તેમને. ૧૨
અર્થ - જે પુરુષ દર્શનમાં ભ્રષ્ટ છે તથા અન્ય જે દર્શનના ધારક છે તેમને પોતાના પગે પડાવે છે, નમસ્કારાદિ કરાવે છે તે પરભવમાં લૂલા, મૂંગા થાય છે અને તેમને બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ હોય છે.
ભાવાર્થ:- જે દર્શનભ્રષ્ટ છે તે મિથ્યાષ્ટિ છે અને દર્શનના ધારણ કરનાર છે તે સમ્યગ્દષ્ટિ છે. જે મિથ્યાષ્ટિ હોવા છતાં સમ્યગ્દષ્ટિઓ પાસેથી નમસ્કાર ઇચ્છે છે તે તીવ્ર મિથ્યાત્વના ઉદય સહિત છે. તેઓ બીજા ભવમાં લૂલા, મૂંગા થાય છે અર્થાત્ એકેન્દ્રિય થાય છે, તેમને પગ હોતા નથી, તેઓ પરમાર્થથી લૂલા, મૂંગા છે. આ પ્રકારે એકેન્દ્રિયસ્થાવર થઈને નિગોદમાં વાસ કરે છે. ત્યાં અનંત કાળ રહે છે; તેમને દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ હોય છે; મિથ્યાત્વનું ફળ નિગોદ જ કહ્યું છે. આ પંચમ કાળમાં મિથ્યામતના આચાર્ય બનીને લોકો પાસેથી વિનય પૂજાદિ ઇચ્છે છે, તેમને માટે એમ જણાય છે કે ત્રણ રાશિનો માલ પૂરો થયો છે, હવે એકેન્દ્રિય થઈને નિગોદમાં વાસ કરશે- આ પ્રકારે જાણવામાં આવે છે. ૧૨
આગળ કહે છે કે જે દર્શનભ્રષ્ટ છે તેમની શરમથી પણ જે પગે પડે છે તેઓ પણ તેમના જેવા જ છે -
जे वि पडंति य तेसिं जाणंता लज्जागारवभयेण। तेसिं पि णत्थि बोही पावं अणुमोयमाणाणं ।।१३।।
૧. મુદ્રિત સંસ્કૃત સટીક પ્રતિમાં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રકારે છે જેનો આ અર્થ છે કેઃ- “ “ જે
દર્શનભ્રષ્ટ પુરુષ દર્શનધારીઓના ચરણમાં ઝુકતા નથી''“ “ને હંસનેષુ મટ્ટા પાપ ન પંતંતિ સંજુ ઘર ''
ઉત્તરાર્ધ સમાન છે. ૨. ખંડભાણી = અસ્પષ્ટ ભાષાવાળા; તૂટક ભાષાવાળા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com