________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬
(અષ્ટપાહુડ
હવે કહે છે કે આ પ્રાપ્તિ જિનવચનથી થાય છે
जिणवचणगहिदसारा विसयविरत्ता तावोधणा धीरा। सील सलिलेण ण्हादा ते सिद्धालय सुहं जंति।।३८ ।। जिनवचनगृहीतसारा विषयविरक्ताः तपोधना धीराः। शील सलिलेन स्नाताः ते सिद्धालय सुखं यांति।।३८ ।।
જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો, કરી સ્નાન શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો ! ૩૮
અર્થ - જેમણે જિનવચનોથી સારને ગ્રહણ કરી લીધો છે તે વિષયોથી વિરક્ત થઈ ગયા છે, જેમને તપ એ જ ધન છે તથા ધીર છે-એવા મુનિ શીલરૂપી જળથી સ્નાન કરીને શુદ્ધ થયા, તેઓ સિદ્ધાલય જે સિદ્ધોને રહેવાનું સ્થાન છે તેના સુખોને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- જે જિનવચન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણીને તેનો સાર-જે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ-તેને ગ્રહણ કરે છે. તેઓ ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને તપ ધારણ કરે છે-મુનિ થાય છે. ધીર, વીર બનીને પરિષ-ઉપસર્ગ આવે તો પણ ચલાયમાન થતા નથી ત્યારે શીલ, જે સ્વરૂપની પ્રાપ્તિની પૂર્ણતારૂપ ચોર્યાસીલાખ ઉત્તર ગુણની પૂર્ણતા તે થયું નિર્મળ જળ, તેનાથી સ્નાન કરીને સર્વ કર્મ મળને ધોઈને સિદ્ધ થયા. તે મોક્ષમંદિરમાં રહીને ત્યાં પરમાનંદ, અવિનાશી, અતીન્દ્રિય, અવ્યાબાધ સુખને ભોગવે છે. આ શીલનું માહાત્મય છે. આવું શીલ જિનવચનથી પ્રાપ્ત થાય છે. જિનાગમનો નિરંતર અભ્યાસ કરવો ઉત્તમ છે. ૩૮
હવે અંત સમયમાં સંલ્લેખના કહી છે. તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ-આ ચારની આરાધનાનો ઉપદેશ છે. એ પણ શીલથી જ પ્રગટ થાય છે. તેને પ્રગટ કરીને કહે છે:
सव्वगुण खीणकम्मा सुहदुक्खविवज्जिदा मणविसुद्धा। पप्फोडियकम्मरवा हवंति आराहणापयडा।। ३९ ।।
सर्वगुणक्षीणकर्माण: सुखदुःखविवर्जिताः मनोविशुद्धः। प्रस्फोटितकर्मरजसः भवंति आराधनाप्रकटाः।। ३९ ।। *આરાધનાપરિણત સરવ ગુણથી કરે કૃશ કર્મને, સુખદુ:ખ રહિત ‘મનશુદ્ધ તે પે કરમરૂપ ધૂળને. ૩૯
૧. શીલ સલીલ = શીલરૂપી જળ. ૨. આરાધના પરિણત = આરાધના રૂપે પરિણમેલા પુરુષો. ૩. કુશ = નબળાં; પાતળાં; ક્ષીણ. ૪. મન શુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com