________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૫
જે શ્રમણ કરું જન્મતરુ લાવણ્ય-શીલ સમૃદ્ધ છે, તે શીલધ૨ છે, છે મહાત્મા લોકમાં ગુણ વિસ્તરે. ૩૬
અર્થ:- જે મુનિને જન્મરૂપ વૃક્ષ લાવણ્ય અર્થાત્ અન્યને પ્રિય લાગે છે એવું સર્વાગ સુંદર છે તથા મન-વચન-કાયની ચેષ્ટા સુંદર છે અને શીલ અર્થાત્ અંતરંગ મિથ્યાત્વ વિષય
રિા સ્વભાવ છે-આ બન્નેમાં નિપુણ-પ્રવીણ હોય તે મુનિ શીલવાન છે, મહાત્મા છે. તેમના ગુણોનો વિસ્તાર લોકમાં ભમે છે–ફેલાય છે.
ભાવાર્થ- આવા મુનિના ગુણ લોકમાં વિસ્તારને પ્રાપ્ત હોય છે-સર્વ લોકમાં પ્રશંસા યોગ્ય હોય છે. અહીં પણ શીલનો જ મહિમા જાણવો, અને વૃક્ષનું સ્વરૂપ કહ્યું છે કે જેવી રીતે વૃક્ષની શાખા, ફૂલ, પત્ર, ફળ આદિ સુંદર હોય અને છાયાદિ વડે સર્વ લોકનો રાગદ્વેષ રહિત સમાન ઉપકાર કરે, તે વૃક્ષનો મહિમા સર્વે લોકો કરે છે તેવી રીતે મુનિ પણ એવા જ હોય તો બધા લોકો દ્વારા મહિમા કરવા લાયક થાય છે. ૩૬
હવે કહે છે કે જે આવા મુનિ હોય તે જિનમાર્ગમાં રત્નત્રયની પ્રાપ્તિ રૂપ બોધિને પ્રાપ્ત થાય છે:
णाणं झाणं जोगो दंसणसुद्धीय वीरयायत्तं। सम्मत्तदंसणेण य लहंति जिणसासणे बोहिं।। ३७।।
ज्ञानं ध्यानं योगः दर्शन शुद्धिश्च वीर्यायत्ताः। सम्यक्त्वदर्शनेन च लभन्ते जिनशासने बोधिं ।। ३७।।
દંગ શુદ્ધિ, જ્ઞાન, સમાધિ ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે, સમ્યકત્વથી જીવો લહે છે “બોધિને જિનશાસને. ૩૭
અર્થ:- જ્ઞાન, ધ્યાન, યોગ, દર્શનની શુદ્ધતા એ તો વીર્યને આધીન છે અને સમ્યગ્દર્શનથી જિનશાસનમાં બોધિને પ્રાપ્ત કરે છે–રત્નત્રયની પ્રાપ્તિ થાય છે.
ભાવાર્થ- પદાર્થોને વિશેષરૂપથી જાણવું તે જ્ઞાનનું સ્વરૂપમાં એકાગ્રચિત્ત થવું તે ધ્યાન; સમાધિસ્થ થવું તે યોગ; તથા નિરતિચાર શુદ્ધ સમ્યગ્દર્શન-એ ગુણો વીર્ય (શક્તિ)ને આધીન છે. અર્થાત્ વીર્ય શક્તિ પ્રમાણે ધારણ કરવા જોઈએ. પરંતુ સમ્યગ્દર્શનથી–બોધિ-રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. રત્નત્રયથી વિશેષ ધ્યાનાદિક પણ યથાશક્તિ હોય છે અને તેથી શક્તિ પણ વધે છે. આવું કહેવામાં પણ શીલનું માહાભ્ય જાણવું. રત્નત્રય છે તે જ આત્માનો સ્વભાવ છે, તેને શીલ પણ કહે છે. ૩૭
૧. બોધિ = રત્નત્રયપરિણતિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com