________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ )
અર્થ:- શીલ છે તે જ વિશુદ્ધ નિર્મળ તપ છે. શીલ છે તે જ દર્શનની શુદ્ધતા છે, શીલ છે તે જ જ્ઞાનની શુદ્ધતા છે. શીલ છે તે જ વિષયોનો શત્રુ છે તથા શીલ છે તે જ મોક્ષનું સોપાન-સીડી છે.
ભાવાર્થ:- જીવ, અજીવ પદાર્થોનું જ્ઞાન કરી તેનાથી મિથ્યાત્વ અને કષાયનો અભાવ કરવો એ સુશીલ છે. તે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. તે સંસાર પ્રકૃતિ મટીને મોક્ષ સન્મુખ પ્રકૃતિ હોય ત્યારે આ શીલના જ તપાદિક બધા નામ છે. નિર્મળ તપ, શુદ્ધ દર્શન-જ્ઞાન, વિષય કષાયનો અભાવ, મોક્ષની સીડી-એ સર્વ એક શીલના જ નામ-અર્થ છે. આવા શીલના માહાત્મયનું વર્ણન કર્યું છે. આ કેવળ મહિમા જ નથી પણ આ બધા ભાવોને શીલની સાથે
અવિનાભાવ સંબંધ બતાવ્યો છે. ૨૦
હવે કહે છે કે વિષયરૂપ વિષ મહા પ્રબળ છેઃ
जह विसयलुद्ध विसदो तह थावरजंगमाण घोराणं । सव्वेसिं पिविणासदि विसयविसं दारुणं होई ।। २१ ।।
यथा विषय लुब्धः विषदः तथा स्थावर जंगमान् घोरान् । सर्वान् अपि विनाशयति विषयविसं दारुणं भवति।। २१।।
વિષ ઘો૨ જંગમ-સ્થાવોનું નષ્ટ કરતું સર્વને, પણ 'વિષયલુબ્ધતણું વિઘાતક વિષયવિષ અતિ રૌદ્ર છે. ૨૧
૩૪૫
અર્થ:- જેમ વિષયસેવનરૂપી વિષે વિષયલુબ્ધ જીવોને વિષ આપનાર છે તેવી રીતે ઘોર–તીવ્ર સ્થાવર-જંગમ-બધા જ વિષ પ્રાણીઓનો વિનાશ કરે છે, તો પણ આ બધા વિષોમાં વિષયનું વિષ ઉત્કૃષ્ટ છે, તીવ્ર છે.
ભાવાર્થ:- જેવી રીતે હાથી, મીન (માછલી), ભ્રમર, પંતગિયા આદિ જીવો વિષયોમાં લુબ્ધ થઈને-વિષયોને તાબે થઈને નાશ પામે છે તેવી જ રીતે સ્થાવરનું વિષ-વિષમોહરા સોમલ આદિ ને જંગમનું વિષ સર્પ ઘોહરા આદિનું વિષ-આ વિષોથી પણ પ્રાણી મરી જાય છે. પરંતુ બધા વિષોમાં વિષયનું વિષ અતિ તીવ્ર છે. ૨૧
હવે આનું જ સમર્થન કરવા માટે વિષયોના વિષનું તીવ્રપણું બતાવે છે કે વિષની વેદનાથી તો એકવાર મૃત્યુ થાય છે અને વિષયોના વિષથી સંસારમાં ભ્રમણ કરતો રહે છેઃ૧ વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું; (અર્થાત્ અત્યંત બૂરું કરનારું).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com