________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
લિંગપાહુડ)
૩૨૯
અર્થ - હે મુનિવર ! ઉપર કહી તેવી પ્રવૃત્તિમાં વર્તતો લિંગધારી મુનિ સંયમી મુનિઓની મધ્યમાં રહેતો હોય અને ઘણાં શાસ્ત્રોનો જાણકાર હોય, છતાં ભાવોથી નષ્ટ છે, શ્રમણ નથી.
ભાવાર્થ- આવા ઉપર કહેલા લિંગી જે હંમેશા મુનિઓની વચ્ચે રહેતા હોય, ઘણા શાસ્ત્રો જાણતા હોય તો પણ ભાવ અર્થાત્ શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામથી રહિત છે તેથી મુનિ નથી, ભ્રષ્ટ છે, અન્ય મુનિઓના ભાવ બગાડનાર છે. ૧૯ હવે ફરી કહે છે કે જે સ્ત્રીઓનો સંસર્ગ ઘણો રાખે છે તે પણ શ્રમણ નથી –
दसणणाण चरित्ते महिलावग्गम्मि देदि वीसहो। पासत्थ वि हु णियट्ठो भावविणट्ठो ण सो समणो।।२०।। दर्शनज्ञान चारित्राणि महिलावर्गे ददाति विश्वस्तः। પાર્શ્વસ્થાવાને રૂc વિનE: ભાવવિનE: ન સ: શ્રમ": Tો ૨૦ |
સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાન-દર્શન-ચરણ જે,
પાર્શ્વસ્થથી પણ હીન ભાવનિષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦ અર્થ:- જે લિંગધારી સ્ત્રીઓના સમૂહમાં તેમનો વિશ્વાસ કરી અને તેમનામાં વિશ્વાસ ઉપજાવી દર્શન-જ્ઞાન-ચારિત્ર આપે છે, તેમને સમ્યકત્વ બતાવે છે, ભણવા-ભણાવવા રૂપ જ્ઞાન આપે છે, દીક્ષા આપે છે, પ્રવૃત્તિ શીખવાડે છે, આ રીતે વિશ્વાસ ઉપજાવી તેમની વચ્ચે પ્રવર્તે છે-આવો લિંગી તો પાર્થસ્થથી પણ નિષ્કૃષ્ટ છે–પ્રગટ ભાવથી વિનષ્ટ છે, શ્રમણ નથી.
ભાવાર્થ - લિંગ ધારણ કરીને સ્ત્રીઓમાં વિશ્વાસ ઉપજાવીને તેમને નિરંતર પઠનપાઠન કરાવવું, લાલન-પાલન રાખવું, તેને જાણો કે તેના ભાવ ખોટા છે. પાર્થસ્થ તો ભ્રષ્ટ મુનિને કહે છે, તેનાથી પણ આ નિકૃષ્ટ છે, આવાને સાધુ કહેતા નથી. ૨૦ હવે ફરી કહે છેઃ
पुच्छलिघरि जो भुञ्जइ णिच्चं संथुणदि पोसए पिंडं। पावदि बालसहावं भावविणट्ठो ण सो समणो।।२१।। पुंश्चली गृहे यः भुंक्ते नित्यं संस्तौति पुष्णाति पिंडं। प्राप्नोति बालस्वभावं भावविनष्ट: न स: श्रमणः।। २१।। અસતીગૃહે ભોજન, કરે સ્તુતિ નિત્ય, પોષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૧
૧. વિશ્વસ્ત = ૧) વિશ્વાસુપણે અર્થાત્ અર્થાત્ (સ્ત્રીવર્ગનો) વિશ્વાસ કરીને નિર્ભય પણે ૨. અસતી
ગૃહે = વ્યભિચારિણી સ્ત્રીના ઘરે. ૩. કરે સ્તુતિ નિત્ય = હમેંશા તેની પ્રશંસા કરે છે. ૪. પિંડ = શરીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com