________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
લિંગ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
હવે લિંગપાહુડની વચનિકા લખીએ છીએ:
દોહ: જિન મુદ્રા ધારક મુની નિજ સ્વરૂપÉ ધ્યાયા કર્મનાશિ શિવસુખ લિયો વંદું તિન કે પાંય ના ૧ાાં
આ પ્રકારે મંગળ માટે જે મુનિઓએ શિવ સુખ પ્રાપ્ત કર્યું છે તેમને નમસ્કાર કરીને શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રાકૃત ગાથાબદ્ધ લિંગપાહુડ” નામના ગ્રંથની દેશભાષામય વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ આચાર્ય મંગલ માટે ઇષ્ટને નમસ્કાર કરી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે -
काऊण णमोकारं अरहंताणं तहेव सिद्धाणं। वोच्छामि समणलिंग पाहुडसत्थं समासेण।।१।।
कृत्वा नमस्कारं अर्हतां तथैव सिद्धानाम्। वक्ष्यामि श्रमणलिंगं प्राभृतशास्त्रं समासेन।।१।।
કરીને નમન ભગવંત શ્રી અહંતને, શ્રી સિદ્ધને, ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગ પ્રાભૃત શાસ્ત્રને. ૧
અર્થ:- આચાર્ય કહે છે કે હું અરહંતોને તેમ જ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી જેમાં શ્રમણલિંગનું નિરૂપણ છે એવું લિંગપાહુડ શાસ્ત્ર કહીશ.
ભાવાર્થ- આ કાળમાં મુનિનું લિંગ જેવું જિનદેવે કહ્યું છે તેમાં વિપર્યય થઈ ગયો છે, તેનો નિષેધ કરવા માટે આ લિંગનિરૂપક શાસ્ત્ર આચાર્યે રચ્યું છે. તેની આદિમાં, ઘાતિકર્મોનો નાશ કરી અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરીને અરહંત થયા. તેમણે યથાર્થરૂપથી શ્રમણનો માર્ગ પ્રવર્તાવ્યો અને લિંગને સાધી સિદ્ધ થયા. આ પ્રકારે અરિહંત-સિદ્ધોને નમસ્કાર કરી ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરી છે. ૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com