________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ )
૩૯
તે લોક દ્વારા નમનયોગ્ય ઇન્દ્રાદિક છે તેમના વડે પણ વંદનીય-ધ્યાવવા યોગ્ય છે. તથા સ્તુતિ કરવા યોગ્ય જે તીર્થંકરાદિ છે તેમના વડ પણ સ્તુતિ યોગ્ય છે. –એવો કાંઈક છે તે આ દેહમાં સ્થિત છે, તેને યથાર્થ જાણો.
ભાવાર્થ- શુદ્ધ પરમાત્મા છે તે હજુ સુધી કર્મથી આચ્છાદિત છે, તો પણ ભેદજ્ઞાની તીર્થકરાદિ પણ આ દેહમાં જ રહેવાનું ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી એવું કહે છે કેલોકમાં નમન કરવા યોગ્ય ઇન્દ્રાદિક છે અને ધ્યાન કરવા યોગ્ય તીર્થંકરાદિક છે તથા સ્તુતિ કરવા યોગ્ય પણ તીર્થંકરાદિક છે. તેઓ પણ જેને નમસ્કાર કરે છે. જેનું ધ્યાન કરે છે. સ્તતિ કરે છે એવા કંઈક વચનથી અગોચર ભેદજ્ઞાનીઓને અનુભવગોચર પરમાત્મા વસ્તુ છે. તેનું સ્વરૂપ જાણો; તેને નમસ્કાર કરો; તેનું ધ્યાન કરો; બહાર શા માટે શોધો છો ? આ પ્રકારે ઉપદેશ છે. ૧૦૩
હવે આચાર્ય કહે છે કે જે અરહંતાદિક પંચપરમેષ્ઠી છે તે પણ આત્મામાં જ છે. તેથી આત્મા જ શરણ છે:
अरुहा सिद्धायरिया उज्झाया साहु पंच परमेठी। ते वि हु चिट्ठहि आदे तम्हा आदा हु मे सरणं ।।१०४।।
अर्हन्तः सिद्धा आचार्या उपाध्यायाः साधवः पंच परमेष्टिनः। ते अपि स्फुटं तिष्ठन्ति आत्मनि तस्मादात्मा स्फुटं मे शरणं ।। १०४ ।।
અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ-પરમેષ્ટી જે, પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૪
અર્થ - અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચેય પરમેષ્ઠી છે. તેઓ પણ આત્મામાં જ સ્થિત છે, આત્માની અવસ્થા છે. તેથી મારા આત્માનું જ શરણ છે. આ પ્રકારે આચાર્ય અભેદનય પ્રધાન કરીને કહ્યું છે.
ભાવાર્થ - એ પાંચે પદ આત્માના જ છે. જ્યારે આત્મા ઘાતિકર્મનો નાશ કરે છે ત્યારે અરિહંતપદ પામે છે. તે જ આત્મા અઘાતિ કર્મોનો નાશ કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે ત્યારે સિદ્ધપદ કહેવાય છે. જ્યારે શિક્ષા-દીક્ષા આપવાવાળા મુનિ હોય છે તેને આચાર્ય કહે છે. અધ્યયન અને ઉપદેશમાં તત્પર મુનિને ઉપાધ્યાય કહે છે અને જ્યારે રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગની કેવળ સાધના કરે ત્યારે સાધુ કહેવાય છે. આ પ્રકારે પાંચે પદ આત્મામાં જ છે. તેથી આચાર્ય વિચાર કરે છે કે જે આ દેહમાં આત્મા સ્થિત છે તે જો કે (સ્વયં) કર્મના આવરણ સહિત છે તો પણ પાંચે પદને યોગ્ય છે. એના જ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com