________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪
(અષ્ટપાહુડ
ભાવાર્થ:- મિથ્યાભાવનું ફળ સંસારમાં ભ્રમણ કરવાનું જ છે. આ સંસાર જન્મ, જરા, મરણ આદિ હજારો દુઃખોથી ભરેલો છે. આ દુઃખોને મિથ્યાદષ્ટિ જીવ આ સંસારમાં ભ્રમણ કરતો રહીને ભોગવે છે. અહીં (સંસારમાં) દુઃખ તો અનંત છે, પણ હજારો કહેવાથી પ્રસિદ્ધ અપેક્ષા અધિકતા બતાવી છે. ૯૫
હવે સમ્યકત્વ-મિથ્યાત્વભાવના કથનને સંકોચે છે
सम्म गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणसु। जं ते मणस्स रूच्चइ किं बहुणा पलविएणं तु।। ९६ ।। सम्यक्त्वे गुण मिथ्यात्वे दोषः मनसा परिभाव्य तत् कुरु। यत् ते मनसे रोचते किं बहुना प्रलपितेन तु।।९६ ।। “સમ્યકત્વ ગુણ, મિથ્યાત્વ દોષ” તું એમ મન સુવિચારીને, કર તે તને જે મન રૂચે; બહુ કથન શું કરવું અરે? ૯૬.
અર્થ:- હે ભવ્ય ! પૂર્વોક્ત પ્રકારે સમ્યકત્વના ગુણની ને મિથ્યાત્વના દોષોની પોતાના મનથી વિચારણા કરી અને જે પોતાને રૂચ-પ્રિય લાગે તે કર. બહુ પ્રલાપરૂપ કહેવાથી શું સાધ્ય છે?—આ પ્રકારે આચાર્યદવે ઉપદેશ આપ્યો છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે બહુ કહેવાથી શું? સમ્યકત્વ-મિથ્યાત્વના ગુણદોષો અગાઉ કહેલાં તે જાણીને મનમાં જે ગમે-રૂચે તે કરો. અહીં ઉપદેશનો આશય એવો છે કેમિથ્યાત્વને છોડો ને સમ્યકત્વને ગ્રહણ કરો. તેથી સંસારનાં દુઃખ મેટીને મોક્ષ પ્રાપ્ત કરો. ૯૬ હવે કહે છે કે જો મિથ્યાત્વભાવ નહિ છોડો તો બાહ્ય વેષથી કંઈ લાભ નથી:
बाहिरसंगविमुक्को ण वि मुक्को मिच्छभाव णिग्गंथो। किं तस्य ठाणमउणं ण वि जाणादि अप्पसमभावं ।। ९७।। बहि: संगविमुक्त: नापि मुक्तः मिथ्याभावेन निग्रंथः।
किं तस्य स्थानमौनं न अपि जानाति आत्मसमभावं ।। ९७।। નિર્ચથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યત મિથ્યાભાવ જ્યાં, જાણે ન તે સમભાવ નિજ; શું સ્થાન-મૌન કરે તિહાં? ૯૭
અર્થ:- જેણે બાહ્ય પરિગ્રહ રહિત અને મિથ્યાભાવ સહિત નિગ્રંથ વેષ ધારણ ક્ય
૧ સ્થાન = નિશ્ચળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગ સ્થિત રહેવું તે; એકઆસને નિશ્ચળ રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com