________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ૐ નમ: સિદ્ધભ્ય:
FFFFFFFFFFFFFFFFFFF
-૬મોક્ષ પાહુડ
FFFFFFFFFFFFFFFFFFF
હવે મોક્ષપાહુડની વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ મંગળ માટે સિદ્ધોને નમસ્કાર કરે છે:
(દોહા) अष्ट कर्मको नाश करि शुद्ध अष्ट गुण पाय। भये सिद्ध निज ध्यानतॆ नमूं मोक्ष सुखदाय।।१।।
આ પ્રમાણે મંગલ માટે સિદ્ધોને નમસ્કાર કરી શ્રી કુન્દકુન્દ આચાર્યકૃત “મોક્ષપાહુડ” ગ્રંથ કે જે પ્રાકૃત ગાથાબદ્ધ છે. તેની દેશભાષામય વચનિકા લખીએ છીએ.
પ્રથમ જ આચાર્ય મંગલ માટે પરમાત્માને નમસ્કાર કરે છે:
णाणमयं अप्पाणं उवलद्धं जेण झडियकम्मेण। चइऊण य परदव्वं णमो णमो तस्स देवस्स।।१।।
ज्ञानमय आत्मा उपलब्धः येन क्षरितकर्मणा। त्यक्ता च परद्रव्यं नमो नमस्तस्मै देवाय।।१।।
કરીને 'ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧
અર્થ:- આચાર્ય કહે છે કે જેમણે પરદ્રવ્ય છોડવાથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ ખરી ગયા છે એવા થઈને નિર્મળ જ્ઞાનમયી આત્માને પ્રાપ્ત કરી લીધો છે-આ પ્રકારના દેવને અમારા નમસ્કાર હો-નમસ્કાર હો. બે વાર કહેવામાં અતિશય પ્રેમભાવ બતાવ્યો છે.
ભાવાર્થ- આ મોક્ષપાહુડનો પ્રારંભ છે. અહીં જેમણે સમસ્ત પરદ્રવ્યોને છોડી કર્મનો અભાવ કરીને કેવળજ્ઞાનાનંદસ્વરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરી લીધું છે તે દેવને મંગળ અર્થે નમસ્કાર
૧ ક્ષપણ = ક્ષય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com